SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૫ ) અનન્ત સુખ રહ્યું છે એમ આગમોના જ્ઞાનવિના અવબોધી શકતા નથી; આ પ્રમાણે તેમના ઉદ્દગાર જાણવાથી તેમની જગતના જીવે ઉપર ઘણું કરૂણું હતી તેને ખ્યાલ આવે છે. શ્રીમદ્ આનન્દઘનજીની જેમ જેમ જ્ઞાનદશા વધતી ગઈ તેમ ગુરૂ કુલસેવા એના તેમ તેઓશ્રી ગૃહસ્થની સ્પૃહાથી દૂર રહેવા લાગ્યા. નુભવ, સ્પૃહા ગૃહસ્થોના મત પ્રમાણે ચાલીને દીક્ષામાં દૂષણ લગાડવું ત્યાગ અને એ વાત તેઓ પસંદ કરતા નહોતા. બે વખત આવશ્યક ધ્યાનારૂઢતા. ક્રિયા કરવી અને પ્રતિલેખનક્રિયા બાદ શાસ્ત્રોનું વાચન, મનન, સ્મરણ, પૃચ્છા વગેરેમાં પિતાને જીવનકાલ વ્યતીત કરવા લાગ્યા. ગુરૂકુળમાં રહીને ગુરૂની પરંપરાને સારી રીતે હેતુપૂર્વક જાણી લીધી અને વ્યવહાર માગે છે તેનાથી જૈનધર્મ ટકી રહેવાને છે એમ તેમણે અનુભવ કર્યો. આચાર્યો ઉપાધ્યાયે વગેરે જૈનધર્મના નાયકે અને રક્ષકે છે તેના તાબામાં રહીને અન્ય સાધુઓએ પંચાચાર પાળવો જોઈએ; એમ તેઓની તે સંબન્ધી દઢ શ્રદ્ધા હતી. ગમે તે ધ્યાની સાધુ હોય તે પણ ગચ્છના નાયક આચાયેની આજ્ઞા તેણે પાળવી જોઈએ; એમ તેઓ જાણતા હતા અને ઉત્કૃષ્ટ ક્રિયા કરનાર સાધુ કદી આચાર્યથી માટે હોઈ શકતું નથી એમ તેઓ અવબોધતા હતા. સાધુઓના ઉપરી આચાર્યની જરૂર છે એમ તેઓ જાણતા હતા. આવી અન્તરમાં તેમણે શ્રદ્ધા ધરી હતી. કેઈની સ્પૃહાથી આગમન અને આચાર વિરૂદ્ધ તેઓ વદતા વા કરતા નહોતા. ઘણે કાળ તેઓ ધ્યાનમાં ગાળતા હતા. પૂર્વના સાધુઓની પેઠે વન ગુફામાં શ્મશાન વગેરે સ્થાનમાં કાર્યોત્સર્ગ કરીને ધ્યાન કરવાની અત્યંત રૂચિ થવા લાગી તેથી, તેઓ ઉપાશ્રયમાં પણ રાત્રે ધ્યાનમાં આરૂઢ થતા હતા, અને ભયથી રહિત થવાય તેવી રીતે પોતાના આત્માનું ધ્યાન કરતા હતા. આવી વૈરાગ્ય ધ્યાનદશા પ્રતિદિન વધવા લાગી. કિંવદંતી પ્રમાણે એક વખત ગુજરાતના કેઈ શહેરમાં તેઓ શ્રી પર્યુષણુનું વ્યાખ્યાન વાંચતા હતા. તે શહેરમાં એ વ્યાખ્યાન સ નિયમ બંધાઈ ગયે હતો કે, શેઠ આવે ત્યારે વ્યાખ્યાન મયે નિઃસ્પૃહા, ગ્રહસ્થ પ્રતિ શરૂ થતું હતું. સભા ભરાઈ ગઈ હોય તો પણ શેઠ અધત્યાગ. આવ્યાવિના વ્યાખ્યાન વંચાતું ન હતું. શ્રીમદે કલ્પસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું ત્યારે શેઠની માતાએ કહ્યું, “કે મારે પુત્ર આવ્યા વિના વ્યાખ્યાન વાંચી શકાશે નહિ.” શ્રીમદ્ આનન્દઘનજી પાટ ઉપર થે વખત બેસી રહ્યા. શેઠને ત્યાં સમાચાર કહેવરાવ્યા; શેઠતો મનમાં એમ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy