SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૬ ) સાચા હૃદયથી વારસેસ આપ્યું. અમારા હાથમાં, ઉપકાર ત્હારા બહુ થયા સન્તાતા શુભ સાથમાં; એ વારસાને ભાગવી આનન્દ પામે નાનીએ, એ વારસામાં ભક્તિને અધ્યાત્મરસની વાની. જે જે પ્રસંગે ઉપજી ઉદ્ગાર મીઠી વાનીઓ, ઉદ્ગાર એ સાપેક્ષ દૃષ્ટિથી વિચારે નાનીએ; અજ્ઞાનીઓ સમજે નહિને શબ્દથી ઝઘડા કરે; આશય ઘણા સમજે નહીં તે ભ્રાન્ત થૈ મિથ્યા લવે. તું આગમાની માન્યતામાં પૂર્ણશ્રદ્ધા રાખતા, તું આગમે આગળ કરી સાપેક્ષ વચનેા ભાખતા; નમિનાથની સ્તવનાવિષે પંચાંગી તે માની ખરી, તું સાધુવેષે સંચર્યો વ્યવહાર શ્રદ્ધા તેં ધરી. વ્યવહારને નિશ્ચયવિષે તું પૂર્ણ શ્રદ્ધાવાન છે, તુજ આશયાને જાણતા તે ધર્મમાં ગુલ્તાન છે; જિનવાણીના અનુસારથી, જે પદ્ય હારાં ભાવતા, તે વીરના સેવક બનીને મુક્તિપન્થ સધાવતા. શુભ પ્રેમ ભક્તિથી ભર્યાં પોજ સાકર શેલડી, સદ્ગુણુ પુષ્પ સુગંધથી મ્હેંકી રહ્યાં, જ્યમ વેલડી; શુભ કૃષ્ણચેતન ભક્તિરાધા મેળ તેના મેળળ્યે, હું ભાવલશે જ્ઞાનથી શુભલગ્ન ઉત્સવ ઊઝન્યેા. પરિણામ ઉજ્જવલ ધારવાને લક્ષ્ય તે દિલમાં ધર્યું, સમતા સરોવર ઝીલીને આનન્દથી હૈદું ભર્યું; શુભ ધ્યાનના ગિરિપર ચઢી આનંદમાં લીનજ થતા, ઉચ્ચાશય દૃષ્ટિવડે તું સર્વને અવલાકતા. તું ચિત્તમાં શુભ દિવ્યસૃષ્ટિની કરે રચના ભલી, એ ભાનના એકતાનમાં આનંદ હેરા ઊછળી; કરૂણામયી મૂર્તિ ધરી રહે જગતના પ્રાણીઓ, શુભ ઉચ્ચજીવન જાણીને મ્હે ચિત્તમાંહી આણીયા. શુભ ભાવથી મેં સંપ્રતિ પ્રત્યક્ષ પેઠે સંસ્તયે, પદ્મોવડે દિલ પેસીને અન્તરગુણાએ મેં કળ્યા; ઉદ્ગારથી અન્તરતા ચારિત્રની સ્તવના કરી, મુધિ આનન્દઘનદશા મુજ ચિત્તપટમાં ચિતરી, For Private And Personal Use Only ૪૫ ૪૬ ४७ ૪. ૪૯ ૫૦ ૫૧ પર
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy