SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૭ ) આનન્દમાં તેમનું જીવન વહેછે તેથી તેને કાલઉપર લક્ષ રહેતું નથી. અધ્યાત્મજ્ઞાન તા થઈ શકે, પણ અધ્યાત્મજ્ઞાનને આચારમાં મૂકીને તેના પાત્રભૂત અનનારા મહાપુરૂષ તે વિરલા મળી શકે. જાણનાર તે ઘણા મળી શકે પણ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તેપ્રમાણે વર્તનારા તે વિરલા મળી શકે. જે અધ્યાત્મજ્ઞાનીએ અધ્યાત્મજ્ઞાનને આચારમાં મૂકીને નહિ ખેલતાં છતાં અન્ય મનુષ્યાપર અધ્યાત્મ જ્ઞાનની જે અસર કરી શકે છે તે અસર, ખરેખર સર્તન વિનાના અધ્યાત્મજ્ઞાનીઓ રાત્રી દિવસ ભાષાવડે અમેા પાડી કરી શકવા સમર્થ થતા નથી. અધ્યાત્મજ્ઞાનની અસર, ખરેખર મુનિવર, ત્રા પાળીને અને આત્માને ધ્યાઇને અન્યેાપર કરી શકે છે તેવી ગૃહસ્થા કરી શકતા નથી. જેએ માહમાયામાં ફસાઈ જઈને અધ્યાત્મજ્ઞાનના સ્વસ્વાર્થમાટે ઉપયોગ કરે છે તે બ્રહ્મરાક્ષસેા જેવા અવમેધવા. અધ્યાત્મજ્ઞાન પામીને સાધુ થઈ જેઓ આત્માની આરાધના કરે છે; તેવા મુનિરાજે આ જગત્માં અધ્યાત્મજ્ઞાનના ઝરા વહેવરાવવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનની મૂર્તિરૂપ મુનિરાજોની સેવા કરવાથી અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં પરિણમન થાય છે. વ્રતાની સાથે અધ્યાત્મભાવના વર્તે છે તે આત્મામાં અધ્યાત્મજ્ઞાન ખરેખરી રીતે પરિણમે છે. બાવીસ પરિષહેા સહન કરતી વખતે સુવર્ણરસની પેઠે અધ્યાત્મરસની શુદ્ધિ થાય છે; માટે ચારિત્રની સાથે અધ્યાત્મજ્ઞાન શાભી શકે છે. યેદ્દાના મુખમાંથી યુસના જે શબ્દો નીકળે છે અને તેમાં જે વીરરસ ઝળકી રહે છે તે, નાટકીયાના મુખમાંથી નીકળતાં વચનામાં કયાંથી આવી શકે ? સતી સ્ત્રીના મુખમાંથી પતિભક્તિરસના જે વચનેદ્વારા નીકળે છે અને તેમાં જે કંઈ દિવ્યત્વ હાય છે, તેવું દિવ્યત્વ ખરેખર સતી સ્ત્રીના વેષ લઈને આવેલા નાટકીયાના હૃદયથી નીકળી શકે નહિ; કરૂણારસ, હાસ્યરસ અને ભયરસનું જે સ્વાભાવિક પાત્ર બન્યા હાય તેના જેવું નાટક કરીને રસ પ્રગટાવવામાં કૃત્રિમતા જણાયાવિના રહેતી નથી. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મમય જેની મન-વાણી અને કાયા થઈ હોય, અને જે અધ્યાત્મરસના હૃદયમાંથી સ્વાભાવિક ઉદ્ગારા કાઢતા હોય, એવું પાત્રજ ખરેખર દુનિયામાં અધ્યાત્મજ્ઞાનના વિદ્યુત્લેગે પ્રકાશ કરવા સમર્થ થાય છે. જેના હાડોહાડમાં અધ્યાત્મજ્ઞાન વ્યાપી ગયું હાય અને જેના હાડોહાડમાં જાણે અધ્યાત્મરસ વ્યાપ્યા હાય એવી જેની દશા હૈાય, તે મહાપુરૂષના સહવાસથી, તેના મેથી, તેના કૃત્યથી અને તેની ચેષ્ટાઓથી અધ્યાત્મજ્ઞાનના ઉપદેશ મળ્યા કરે છે. લ. ઉ. ૧૮ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy