SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) દેડડ્યા કરે છે અને તેમાં ન રસ છતાં રસ માનીને “કૂતરું હાડકાં ચૂસે છે તેની પેઠે, ભ્રાંતિથી મધ્યા કરે છે. જે નથી તેને પોતાનું કપીને અન્ય જીના પ્રાણે ચુસીને પોતાના આત્માને સાન્નિપાતિકની પેઠે સુખ આપવા મથ્યા કરે છે. પ્રવૃત્તિમય શાસ્ત્રોના વાચનમાં લેકે આંખો ખાઈને ચશમાં ધારણ કરે છે, અને મનની માથાકૂટ કરીને મનને યત્રની પેઠે પ્રવર્તાવ્યા કરે છે. શૃંગારરસ આદિ–જેમાં છે એવાં અશુભ રસવાળાં શાસ્ત્રોનું અધ્યયન કરીને, દુનિયા સ્વમસુખની મેજને અનુભવી, ક્ષણમાં દુઃખના નિઃસાસા નાખે છે; તોપણ વિષના કીડાની પેઠે પાપમય પ્રવૃત્તિશાસ્ત્રોમાંજ સુખ શોધ્યા કરે છે. શ્રીમદ્દ યશેવિજયજી ઉપાધ્યાય કર્થ છે કે, આ કલિકાલમાં જણાવેલાં દૃષ્ટાંતની પેઠે અધ્યાત્મશાસ્ત્રની દુલેભતા છે. અધ્યાત્મશાસ્ત્રોની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તેમજ અધ્યાત્મશાસ્ત્રો તરફ રૂચિ થવી પણ દુલૅભ છે. અધ્યાત્મશાસ્ત્રો સમજવાં દુર્લભ છે, તેમજ અધ્યાત્મશાસ્ત્રોને સમજાવનારા મહાપુરૂષ પણ વિરલા છે. અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિ થવી એ કંઈ સામાન્ય વાત નથી. અલ્પકાળમાં મુક્તિ જનાર આત્માને અધ્યાત્મશાસ્ત્રની પ્રાપ્તિ થાય છે અને તેની અધ્યાત્મશાસ્ત્રમાં શ્રદ્ધા થાય છે, તથા તે પ્રમાણે તેનું વર્તન થાય છે. બાહ્યશાસ્ત્રો કરતાં અધ્યાત્મશાસ્ત્રોની સંખ્યા અલ્પ છે. બાહ્યશાસ્ત્રોથી ધૂમકેતુઓની પેઠે લેકોનો અભ્યદય તથા અસ્ત થાય છે. આશ્રવની વૃદ્ધિ કરનારાં શાસ્ત્રની ઉત્પત્તિ તો સહેજે થાય છે અને તે તરફ પ્રવૃત્તિ પણ સહેજે થાય છે. અધ્યાત્મશાસ્ત્રો તે તીર્થરૂપ છે અને તેની ઉત્પત્તિ ખરેખર તીર્થકરોથી થાય છે અને તેનાથી થત ઉદય સદાકાલ કાયમ રહે છે. અધ્યાત્મશાસ્ત્રોથી શાન્ત રસ પોષાય છે; શાન્ત રસ ખરેખર સર્વરસને રાજા છે. તેનું પાન કરનારાઓ ખરેખર અમર થાય છે. જે સુખ સદા રહે છે એવા સુખને, અધ્યાત્મશાસ્ત્રના ઉપાસકે પામે છે. તેઓના મનમાંથી પાપના વિચારે ટળવા માંડે છે અને હૃદયરૂપ ભારતક્ષેત્રમાં, દયારૂપ ગંગાનદીનો પ્રવાહ વહેવા માંડે છે, તેથી તેઓ પિતાની ખરી પવિત્રતા પ્રાપ્ત કરીને તીર્થરૂપ પતે બને છે અને પોતાના સમાગમમાં આવનારાઓને પણ તીર્થરૂપ બનાવે છે. ચાર વેદ અને અન્ય શાસ્ત્રના જાણનારાઓ બાહ્યપ્રવૃત્તિથી કલેશ પામે છે અને આનન્દરસને તો અધ્યાત્મશાસ્ત્રવેત્તાઓ પામે છે. ભાગ્યશાલી ભેગને તે પામે છે અને રાસભા ચન્દનને ભારજ ઉચકી જાણે છે. અધ્યાત્મશાસ્ત્રવિના સહજાનન્દરસ પરખાતો નથી. બાહ્યપદાર્થોનું જ્ઞાન આપનારાં શાસ્ત્રોથી ખરે આનન્દરસ પરખાતો For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy