SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૦ ) નાડીમાંથી પ્રાણવાયુના રોધ થાય છે અને બ્રહ્મરન્ત્રમાં સમાધિ લાગે છે ત્યારે, અમૃતધારાના અનુભવ આવે છે. આત્માની અન્તરમાં જ્યાતિ હાય છે. બેંકનાલથી બ્રહ્મરન્ધ્રમાં ગમન કરવાના માર્ગ ખુલ્લો થાય છે. બ્રહ્મરન્ધ્રમાં સ્થિરતા કરવા માટે વેંકનાલના મૂલ આધારચક્રથી ચડાય છે. આધારચક્રથી અરાડના હાડકાના મધ્ય ભાગ, વા પશ્રિમદિશાની ખડકીના વા મેરૂદંડના મધ્યભાગમાં થઇને પ્રાણવાયુ, ઉપર બ્રહ્મરન્ત્રમાં ગમન કરે છે. મેરૂદંડની આદ્યમાં આધારચક્ર આવેલું છે, ત્યાંથી આગળનાં પાંચ ચક્રનેા માર્ગ ખુલ્રો થાય છે. આધારચક્રની પાસે અને સ્વાધિષ્ટાનચક્રની પાસે કુંડલી છે. કુંડલીનું ઉત્થાન થતાં મેરૂદંડમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે અને મેરૂદંડમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે ત્યારે કંઇક પેાતાને ખબર પડે છે અને અનહદ ધ્વનિનું શ્રવણ થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી ષટ્ચક્ર ભેદાય છે અને બ્રહ્મદંડવા મેરૂદંડ પર્વતમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી અને કેવલ કુંભકભાવ પ્રાણાયામથી માયારૂપ કુંડલી પેાતાનું સ્થાન તજી દે છે અને બ્રહ્મમાર્ગમાં, આગળ ગમન કરવા માટે રોધ કરતી નથી. કેવલ કુંભકભાવ પ્રાણાયામથી આત્માના અમૃતનું માયારૂપ કુંડલી ભક્ષણ કરતી નથી. પશ્ચાત્ તા આત્માના ભાવામૃતના આત્માજ ભાક્તા અને છે અને તેથી સ્વયં પરમપ્રસન્ન અને છે. આત્માની પરમ પ્રસન્નતાની અસર, વાણી-મુખ અને આંખદ્વારા બહાર પણ દેખાય છે. શ્રીમદ્ વિનયવિજયાપાધ્યાયે આ દશાને ખરેખર અનુભવ-અમુક અંશે-લીધા હોય એમ અવમેધાય છે. પશ્ચિમદિશામાં મેરૂદંડદ્વારા પ્રાણવાયુના બ્રહ્મરન્ધ્રમાં સંચાર થતાં, હડ સમાધિની પ્રાપ્તિ થાય છે. હઠયોગ શાસ્ત્રોની, અન્તિમદશાનું સાધ્યમિન્દુ સમાધિ છે. ક્ષયેાપશમભાવની હડસમાધિ અમુક અપેક્ષાએ બ્રહ્મરન્ધ્રમાં સ્થિરતા-લીનતા થએ છતે કહેવાય છે. ક્ષયાપશમભાવ સદાકાલ એકસરખા રહેતા નથી. ક્ષયાપશમભાવની સમાધિ માટે પણ તેમ અશ્વમેધવું. હાસમાધિની સાથે ક્ષયેાપશમભાવની સમાધિના સંબન્ધ વર્તે છે, કારણ કે કારવિના કાર્ય હાતું નથી; દ્રવ્યવિના ભાવ હાતા નથી. પ્રાણવાચુની સ્થિરતાની સાથે ક્ષયાપશમભાવની સમાધિના પણ બ્રહ્મરન્ત્રમાં આવિભૉવ થાય છે. બ્રહ્મરન્ધ્રમાં સુરતાવડે સ્થિરતા કરવાથી અલ્પ દિવસેામાં સમાધિની ઝાંખી થાય છે. મનના જ્યાં, રાગદ્વેષના વિકલ્પસંકલ્પરહિત ખરા લય થાય છે ત્યાં સમાધિભાવ પ્રકટે છે. ક્ષયપશમભાવની સમાધિના આધાર ખરેખર કારણ સામગ્રીઉપર છે. શરીર સ્વાસ્થ્ય, મનઃ સ્વાસ્થ્ય, યોગ્ય આહાર, યેાગ્ય વિહાર, યોગ્ય સ્થળ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy