SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮ ) શ્રીમદ્ વિનયવિજયજીના પચ્ચીશમા પદથી અને જ્ઞાનાનન્દના પહેલા અને ચાથા પદથી, જૈનશાસ્ત્રોમાં યાગની પ્રક્રિયા કેટલીઅધી સસ છે તે વાચકવર્ગ અવમેધી શકશે. શ્રી વિનયવિજયાપાધ્યાય તા એટલાસુધી કથે છે કે, હું સાધુએ ! તેજ જૈનધર્મનેા રાગી છે કે જેની સુરતા ખરેખર મૂલદ્વારમાં લાગી છે. આધારચક્રને મૂલદ્વાર કથવામાં આવે છે. મૂલદ્વારમાં સુરતા લાગવાથી ચિત્તની મલીનતા ટળે છે. તેવા સાધુ, યાગની દશાવડે આત્માની પરમાત્મતા પ્રકેટ કરવા માટે, અષ્ટકર્મ અને તેની એકસેસ અઠ્ઠાવન પ્રકૃતિની સાથે યુદ્ધ કરે છે, અને શૂન્ય ધર્મશાળા ખાંધે છે. શૂન્ય ધર્મશાળાના ભાવ એવા નીકળે છે કે, જે દશામાં રાગદ્વેષના વિકલ્પસંકલ્પને અભાવ હાય; અર્થાત્ રાગદ્વેષના વિકલ્પસંકલ્પથી શૂન્ય એવા ચિત્તને શૂન્ય ધર્મશાળાની ઉપમા, ચેાગની શૈલીએ આપવામાં આવે છે. નિર્વિકલ્પદશા એજ શૂન્ય ધર્મશાલા અવબેાધવી. શૂન્ય. ધર્મશાળા ખાંધવાના ઉપદેશ કરીને એમ જણાવવામાં આવ્યું છે કે, યોગી રાગદ્વેષથી શૂન્યચિત્તવડે યાગના માર્ગમાં આગળ વધી શકે છે અને તે સંસારના માહક પદાર્થોથી લેપાતે વા ગંધાતા નથી. મનમાંથી રાગદ્વેષ દૂર હઠાવીને ખરો સાધુ યાગી, સેા ં શબ્દના ધાગા સાંધે છે. યાગીની એવી-ધાગા સાંધવાની રીતિ હાય છે. સઃ એટલે અસંખ્યાત પ્રદેશમાં સત્તાએ રહેલું પરમાત્મપણું તેજ હું છું; તેવિના બાકીના સાંસારિક પાયારૂપ હું કદી-અસ્તિભાવે નથી. સ એટલે પરમાત્મા તેજ, અહં એટલે હું છું.— હું પાતે પરમાત્મા છું. મારામાં સત્તાએ પરમાત્મપણું રહ્યું છે અને તે વ્યક્ત થઈ શકે તેમ છે, માટે ોઢું ( પરમાત્મા) છું. સોડ્યું એટલે હું; તે સત્તાએ રહેલા પરમાત્મભાવથી અભિન્ન છું–એમ કહેવાથી, બાકીનું શરીર-ધન-વગેરે સર્વે હું નથી એવા ખુલ્લો અર્થ પ્રતીત થાય છે. સેાહું શબ્દના આ પ્રમાણે અર્થ અવમેધીને દ્રાર્થિક અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્માનું ધ્યાન ધરવું. દ્રવ્યથી આત્મા અસંખ્ય પ્રદેશરૂપ નિત્ય છે અને જ્ઞાનાદિ પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય, એવા સઃ એટલે તે આત્મા તેજ, હૈં એટલે હું છું; તેવિના અન્ય તે હું નથી. દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવરૂપ અને પર્યાયનયની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યયશ્ય એવા આત્મારૂપ હું છું. એ સાહું શબ્દના અર્થ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સત્ અને પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાલ અને પરભાવની અપેક્ષાએ અસ—એવા આત્મા, તેજ હું છું; એવા સેહું શબ્દના અર્થ છે. દ્રવ્યની અપેક્ષાએ વ્યાપ્ય અને જ્ઞાનાદિપર્યાયની For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy