SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્ગથ પંથની પાછળે, નવ ડેઢીયું હે વાપર્યું, જગમાંહી જન્મી જીવડા ! હે સ્વાત્મસાધન શું કર્યું.! ૩ તીર્થાદિના તટ પ્રિય નથી, છે પ્રિય તટ પ્રમદાદિના, તીર્થાદિના ગિરિ પ્રિય નથી, છે પ્રિય કુચ તટ નારના, આ લેકમાં સુખ ન માલ્યું, પરલેક સુખ પણ પરહર્યું; જગમાંહી જનમી જીવડા હેં, સ્વાત્મસાધન શું કર્યું.! ૪ નથી આણી દિલમાં દાજ્ય, ર્દીનજન દુ:ખ ભૂખે ટળવળે, નિજ જ્ઞાતિ કેરા બધુઓ, કંગાળ ફરતા સ્થળ સ્થળે, બિન સહાયને ન સહાય દીધી, દુઃખ દેખી ન અશ્રુ ખર્યું. જગમાંહી જનમી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. ! ૫ ત્રણ ચાર વર્ષનિ દીકરીને, કેક જન પરણાવતા, મનમાનતા લઈ દામ, કાટે માંકડું વળગાડતા; એવા રિવાજ નિવારવા, નવ સ્વપ્નમાંહી કંઈ સ્મર્યું, જગમાંહી જનમી જીવડા હે, સ્વાત્મ સાધન શું કર્યું. ! ૬ વિશ્વાસને વિશ્વાસ દઈ, વિશ્વાસઘાત બહું કર્યા, જઈ ધર્મ કેરા માર્ગમાં, દુકૃત્ય પણ અતિ આદર્યા; રહી પુણ્ય કેરી વાત પણ, હે પેટ પાપ થકી ભર્યું, જગમાંહી જન્મી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું. ૭ જન સત્યની નિન્દા કરી, કાઢ્યાં દિવસને રાત્રિ હૈ, સમ્યકત્વ દષ્ટિ અમી ભરી, નવ સત્ય સણું તત્વ હે; For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy