SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ અને પાપ શાથી થતું હશે–ત્યારે તેના ઉત્તરમાં સ્પષ્ટ સમજવાનું કે, દયાદિ શુભકર્મ તથા શુભ પરિણામથી પુણ્ય બંધ થાય છે. તેમજ હિંસાદિ અશુભ કર્મ તથા અશુભ પરિણમથી પાપકર્મનું બંધન થાય છે. રાગદ્વેષાદિક કમ ગ્રહણમાં કારણ છે, માટે તેને આશ્રવ કહે છે–પુણ્ય પાપને કર્ણ જેમ આત્મા છે તેમ પુણ્ય પાપને ભક્તા પણ આ ત્મા છે. પુણ્યપાય જોગવવામાં કઈ ઈશ્વરને કારણભૂત માને છે, પણ તેમાં ઈશ્વર કારણભૂત નથી, એમ સમ્યદષ્ટિથી જોતાં માલુમ પડશે. પુણ્ય પાપ જડવસ્તુ છે. પુણ્ય છે તે સોનાની બેડી છે અને પાપ લેઢાની બેડી છે. પુણ્યથી મનુષ્ય અને સ્વર્ગ, સુખ વિગેરેની પ્રાપ્તિ થાય છે પાપથી નરક અને તિર્યંચગતિ વિગેરેની પ્રાપ્તિ થાય છે. પુણ્ય પરમાણુઓના કો પણ આત્માને લાગે છે અને ખરે છે. તેમજ પાપપરમાણુઓથી બનેલા છે પણ આત્માને લાગે છે અને ખરે છે, પુણ્ય પાપ જડવતુ છે તોપણ તેથી આત્માને શાતા વેદનીય અને અશાતાદનીય ઉત્પન્ન થાય છે. કેઈ અપેક્ષાએ પુણ્યને ધર્મ કહેવામાં આવે છે, અને પાપને અધર્મ કહેવામાં આવે છે. ધર્મધર્મક્ષયાન મુકિતઃ ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ એ બેનો ક્ષયથી મુક્તિ થાય છે. જ્યારે આત્મા કર્મથકી રહીત થાય છે ત્યારે તે મેક્ષ પામે છે. મોક્ષ સપદ છે. જે એક પદ હોય છે તે સત્ હોય છે જેમ આકાશ. તેમજ મેક્ષ પણ એક પદ છે. બે પદ હોય છે તે તેમાં સત્પણું હોય અગર ના પણ હોય. જેમ આકાશકુસુમ-આકાશનું પુલ હેતું નથી. મેક્ષ છે. કર્મ એ જડવસ્તુ છે. જડવતુ થકી આત્મા ભિન્ન થઈ શકે છે. જેમ માટીથી સેનું ભિન્ન થઈ શકે છે તેમ આત્મા પણ કર્મ થી ભિન થઈ શકે છે. માટીથી સોનું ભિન્ન કરવામાં જેમ ધમણ વિગેરે ઉપાયે છે. તેમ કર્મથી આત્માને ભિન્ન For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy