SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગમે તેવું વિકટ કાર્ય અલ્પ સમયમાં સાધી શકે છે. સંક૯૫નું બળ કેટલું છે તે હજુ બહુજ ચેડા જાણે છે. આત્મપાસક મંડળ પક્ષપાતરહિત છે, અને કેઈનું ખંડનમંડન નહિ કરતાં, તે માધ્યસ્થ દ્રષ્ટિથી વર્તનારું છે; તેથી જ દુનિયાને લાભ થઈ શકશે. સ્વધર્મના ઉચ્ચ સિદ્ધાંતનું જ્ઞાન ફેલાવવાનું તેનું પરમ કર્તવ્ય છે. જળ અને પૃથ્વીમાં પણ જીવ છે, એમ ડેકટરે અને સાયન્સ જાણનારાઓ કબુલ કરે છે. પ્લેગના જંતુઓ છે એ બાબત હવે સિદ્ધ થઈ ચુકી છે. આ જંતુઓ જૈન ધર્મમાં વર્ણવેલા સુક્ષ્મ સંપાતીજીવ વગેરે છે. આપણે ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરતા નથી, તેથી વિચારવમળમાં ગોથાં ખાઈએ છીએ. માટે આ આમિક મંડળ આત્મશક્તિને પ્રકાશ કરશે અને દુનિયાને અનેક રીતે લાભકારી થશે. હજારે માણસે સત્યવચન બોલનાર ઉપર વિશ્વાસ રાખે છે. માટે ધર્મનાં તો જાણી નીતિને માગે વળવું એ શ્રેયસ્કર છે. આપણે જૈન કહેવાઈએ છીએ, પણ શ્વરે કહેલા તત્ત્વોનું જ્ઞાન આપણને બિલકુલ હોતું નથી. માટે ધર્મનું જ્ઞાન જાતે મેળવવાની, અને તેના લાભ સમછે, બીજાઓમાં તે ફેલાવવાની અતિ જરૂર છે. આલસ્યથી, પરમાર્થ બુદ્ધિના અભાવથી આપણે પુરૂષાર્થ કરતા નથી ને તેથી આપણું સત્યત ફેલાવે પામી શકતાં નથી. તમારા આચાર વિચાર ઉપર અંધારપછેડે આવી ફર્યો છે, તેને તમે સુધારે ત્યારેજ તમે વીરપ્રભુના ખરા અનુયાયી કહેવાશે. એટલે આનંદ દશહજાર રૂપિયા મેળવવામાં તમે રાખે છે તેટલો આનંદ તમે આ ઉચ તો મેળવવામાં - ખતા નથી. બધધર્મના ૪૮ કરેડ અનુયાયીઓ, અને આ પણું પરમ જૈનધર્મના ફક્ત ૧૪ લાખ માણસો એ અફશેસની વાત છે. ભુખ્યા બ્રાહ્મણને જે ઘેબર મળતાં આનંદ થાય તે આનંદ તમારે તત્ત્વજ્ઞાન સંબંધમાં રાખવો જોઈએ. For Private And Personal Use Only
SR No.008507
Book TitleAdhyatma Vyakhyanmala
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1903
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy