SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે વ્યાકરણ એ શુદ્ધ શબ્દોનો ભંડાર છે, જે શબ્દો શાસ્ત્રોમાં વપરાય છે તે બધા જ શબ્દો વ્યાકરણાં બતાવેલા છે. અર્થાત્ સર્વ શાસ્ત્રોનો સમાવેશ વ્યાકરણમાં છે એમ કહેવું એ વધારે ઉચિત છે. લીલાવતીકાર ગણિતજ્ઞ ભાસ્કરાચાર્ય કહે છે કે જે માણસ વેદના મુખરૂપ સરસ્વતીના ઘર-વ્યાકરણને જાણે છે તે માણસ વેદને પણ જાણે છે તો અન્ય બીજા શાસ્ત્રોને કેમ ન જાણે, માટે પ્રથમ એને-વ્યાકરણને ભણીને બુદ્ધિમાન પુરુષ બીજા શાસ્ત્રોના શ્રવણનો અધિકારી થાય છે.' દરેક શાસ્ત્રોને સાંભળવા, ભણવા-ગણવા-બોલવાનો અધિકાર વ્યાકરણશાસ્ત્ર ભણ્યા વિના મળતો નથી. આટલો ભાર શાસ્ત્રજ્ઞોએ વ્યાકરણ ભણવા પર મુક્યો છે તે બરાબર જ છે. કેમકે વ્યાકરણ વિના અર્થનો મહા અનર્થ થઈ જાય એટલા માટે એક વિદ્વાને પોતાના પુત્રને હિતશિક્ષા આપતાં કહ્યું છે કે પુત્રતું બહુ ન ભણે તો પણ વ્યાકરણ ભણ, કેમકેસ્વજન-સંબંધી, શ્વજન-કુતરો, સકલ-સંપૂર્ણ, શકલ-ટૂકડો, સકૃતએકવાર, શકૃત-વિષ્ઠા, આવો અર્થનો, (બોલતાં આવડે તો) અનર્થ ન થાય, માટે તું વ્યાકરણ ભણ! १. यो वेद-वदनं सदनं हि सम्यग, ब्राझ्याः स वेदमपि वेद किमन्यशास्त्रम् । यस्मादतः प्रथममेतदधीत्य धीमान् , शास्त्रान्तरस्य भवति श्रवणेऽधिकारी ।। २. यद्यपि नाधीषे बहु तदपि पठ पुत्र ! व्याकरणम् । स्वजनः श्वजनो मा भूत् सकलं शकलं सकृत् शकृत् ।। ૨૬૮
SR No.008490
Book TitleHaim Sanskrit Praveshika 1
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy