SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ટ ઘરની વૃદ્ધિ કરવા (માઢુ ઘર કરવાનું ઇચ્છે ) તે ઘરની એક દિશા તરફની જમીન ન લેતાં ઘરની ચારે તરફ જોઈતી જમીન લઈ ઘર વધારવું. ચારે બાજુની જમીન વધારવાનું કારણ એજ કે એક આજી વધારવાથી ઘરના દેખાવ મગડી જાય. ને ચારે બાજુ વધારવાથી દેખાવ સારા દેખાય. પ્રકરણ ૭ મુ अथातः संम्म वक्ष्यामि गृहेकाल विनिर्णयम् । यथाकालं शुभंज्ञात्वा तदा भवन मारभेत् ॥ અર્થ—હવે ગૃહાદિના કાળ નિણૅય કહું છું કાળના અનુસારે શુભ મૂહૂર્ત જોઇ બુદ્ધિમાન પુરૂષે આરંભ કરવા. ગૃહાર્દિને આયુષ અને વિનાશ, ક્ષેત્રફળને આઠે ગુણી સાઈઠે ભાગતાં જે અંક આવે તેને ઢશે ગુણુતાં જે અંક આવે ત્યાં સુધી જીવે, એટલે તેટલું તે ઘરનું આયુષ કહેવાય સાઈઠના ભાગ દેતાં જે શેષ રહે તેને પાંચે ભાગ દેવા એટલે તત્વ આવશે એજ વિનાશ. તત્વાનાં નામ—પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ, એ રીતે પાંચ તત્વાથી અંતકાળને ભેદ છે, ઘર અગર પ્રાસાદના આયુષ અને વિનાશ ( તેમનું પડી જવું) એમની જે કલ્પના ઉપર જણાવી છે તે વિષે થાડા ખુલાસેા અત્રે સચ્છિપતત્ર, તત્વમાળા અને વિશ્વકર્મા પ્રકાશ કાળનિણ ય વગેરે ગ્રંથામાંથી સારરૂપે નીચે પ્રમાણે બતાવ્યું છે. "Aho Shrutgyanam"
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy