SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ આ ચિત્રમાંની નર્તકીના જમણા પગની પાની ડાબા પગ તરફ રહે તેવી રીતે રાખેલી છે, જ્યારે ડા પગ સહેજ ત્રાંસે રાખી જમીનને અડાડેલા છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામે તથા કમર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગના છે. ચિત્ર ૩૨૭-૩૨૮ : ૧૧ ઊરતાડિતાચારી ૦૫ -૨, એક–પાદ સ્થાને ઊભા રહીને (ચિત્ર ૩૨૭) જમીન ઉપર રહેલા પગથી ઉરૂને તાડન કરવાની ક્રિયાને (ચિત્ર ૩૨૮) “ફરતાડિતાચારી કહે છે. શિવ ૩ર૭ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણેથી વાળે, અને તેની એડી ડાબા પગની જાંઘને અડાડીને રાખે છે, જ્યારે ડાબા પગ સીધે રાખીને જમીનને અડાડેલ છે. તેણીને જમણે હાથ વાળેલા જમણા પગની પાછળના ભાગમાં સીધે લટકતો છે; જ્યારે ડાબે હાથ ડાબા પડખે સીધો લટકતો છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ ઘેરા લીલા રંગની કંચુકી અને વાદળી રંગને પાયજામો પરિધાન કરેલા છે. કમ્મર ઉપરનું વસ્ત્ર ચિત્ર ૩૨૬ જેવા જ રંગનું છે. ચિત્ર ૩૨૮ : આ ચિત્રમાની નર્તકીને જમણે પગ જમીનને અડાડીને સાથે રાખેલ છે જયારે ડાબે પગ ઢીંચણેથી વાળેલો અને તેની એડી ડાબા પગના ઢીંચણથી જરા દૂર રાખી રાખેલ છે. તેણીને જમા હાથ જમણ પડખે અને ડાળે હાથ ડાબા ઢીંચણની આગળના ભાગમાં લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ લૈલા પિપટીચા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામો સફેદ રંગની ઝીણું ચાકડીની ડીઝાઈનવાળા સોનેરી રંગનો પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર સફેદ રંગની ઝીણી ટીપકીયાની ડીઝાઇનવાળા સીધુરીયા લાલ રંગનું છે. ચિત્ર ૩ર૯-૩૩૦ : ૧૨ ઊરૂણીચારી રુ૫ ૧-૨, ઉરૂશ્વ સ્વસ્તિકાકાર પગના પડખાંએ થી (ચિત્ર ૩૨૯) જમીનને ધસવાની ક્રિયાને (ચિત્ર ૩૨૦) બુદ્ધિમાન ઊરૂણીચારી કહે છે. ચિત્ર ૩૨૯ : આ ચિત્રમાંની નર્તકીને જમ પગ ઢીંચણેથી વાળે, અને તેની એડીને ભાગ જમીનથી સહેજ ઉચા રાખી રાખેલો છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ સોનેરી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામો પીળા રંગનો પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર ચિત્ર ૩૨૮ જેવા જ રંગનું છે. ચિત્ર ૩૩૦ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ સીધા જમીનને અડાડેલા, અને બંને પગથી જમીન ઘસતી હોય તેવી રીતે રાખેલા છે. તેણીના બંને હાથ અને પડખે સીધા લટકે છે. શરીરને વર્ણ સવર્ણ છે. તેમાં લીલા પાટીયા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામ કાળા રંગની ડીઝાઈનવાળા પીળા રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ્ત્ર પાયજામા જેવા જ રંગનું છે. * ચિત્ર ૩૩૧ : ૧૩ તલાદ્દવૃત્તાચારી રુપ ૧, આંગળીના પાછળના ભાગથી (બીજા) પગના પંજા તરફ શોઘ આગળ સરકવાની ક્રિયાને સત્પરૂપે તદ્દવૃત્તાચારી’ કહે છે (ચિત્ર ૩૩૧). આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ ઢીંચણેથી વાળે, અને જમીનથી ઊંચે રાખે છે. જ્યારે ડાબે પગ સહેજ ત્રાસે રાખી જમીનને અડાડે છે. જે તે આગળના ભાગમાં શીઘ્ર સરકતી હોય તેવો ભાવ દર્શાવે છે. તેના બંને હાથ અને પડખે લટક્તા છે, શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટીયા રંગની કંચુકી પહેરેલી છે. પાયજામે વાદળી રંગને, પીળા રંગની વચમાં કાળા રંગની અને ૮. એક પગ જમીન ઉપર સરખે રાખીને બીજો પગ તે પડખા તરફ ઉંચા રાખ અર્થાત એક પગે ઊભા રહેવું તેને “એકપાત’ સ્થાન કહેવામાં આવે છે. "Aho Shrutgyanam"
SR No.008470
Book TitleSangit Natya Rupavali
Original Sutra AuthorN/A
AuthorVidya Sarabhai Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1963
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy