SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતની જેનાશિત કળા અને તેનો ઈતિહાસ રીતે ચીતરાએલા છે. ત્યાર પછી, એક પાટલી કે જેનાં ચિત્રો માટે ભારે ધસાઇ ગએલાં છે તે સંવત ૧૪૫૪માં લખાએલી તાડપત્રની “સૂત્રકૃતાંગ વૃત્તિઓની પ્રત ઉપરથી મળી આવે છે તેને વારો આવે છે, જેમાં પ્રભુ મહાવીરના પૂર્વના સત્તાવીશ ભો પૈકીના કેટલાક ભવો એક બાજુ ચીતરેલા જણાઈ આવે છે, અને બીજી બાજુ પંચકલ્યાણક ચીતરેલા ઘણાખરા સ્પષ્ટ રચવાઈ રહેલા મળી આવ્યા છે. જે તેની બીજી પાટલી મળી આવી હોત તે પૂર્વના સત્તાવીશ ભવનાં ચિત્રો પણ મળી આવ્યાં હોત; વાહકોની બેદરકારીને લીધે બીજી પાટલીને સમૂળગો નાશ કર્યો છે. આ પટલી પણ નાશ પામતાં પામતાં મુનિશ્રી પુણ્યવિજયના જોવામાં આવવાથી બચવા પામી છે. આ સિવાય ગુજરાત પ્રાંતનાં મુખ્ય મુખ્ય શહેરો જેવાં કે અમદાવાદ, પાટણ, રાધનપુર, ખંભાત તથા સુરતનાં જૈન મંદિરોમાં લાકડા ઉપરનાં ચિત્રકામો તથા કેતરકામ જે મારા જાણવામાં અને જોવામાં આવ્યાં છે તેનાં ચિત્રો વગેરે વિસ્તારભયથી નહિ આપતાં તેનાં રથળાની માત્ર યાદી આપીને જ સંતોષ માનું છું. અમદાવાદનાં જેન લાકડકામે ૧ માંડવીની પોળમાં શ્રીસમેતશિખરજીની પળના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસરમાં લાકડામાં કોતરીને સમેતશિખરજીના પહાડની લગભગ પંદર ફૂટ ઊંચાઈની રચના કરવામાં આવી છે, જે લગભગ ત્રણ વર્ષ પહેલાંની છે. સાંભળવા પ્રમાણે પહેલાં તે આખો યે ડુંગર ગોળ ફરતો હતા તેવી રીતની ગોઠવણી હતી. દેરાસરના લાકડાના થાંભલા પરનાં ચિત્ર ઉપર ધૂળના થરના થર જામી જવાને લીધે અસ્પષ્ટ બનેલાં એ ચિત્રો બારીકીથી જોનારને આજના વહીવટદારોની તે પ્રત્યેની બેદરકારીની સાક્ષી આપી રહ્યાં છે, દસ બાર વર્ષ પહેલાં જ્યારે હું નાનો હતો ત્યારે આ દેરાસરની બહારની ભીતો ઉપર કેટલાંક સુંદર ચિત્રો મેં મારી નજરે જોએલાં હતાં, અને હું ભૂલતે ન હોઉં તો, તેમાંના એક ચિત્રમાં ઈલાચીકુમાર અને નટડીના પ્રસંગને લગતાં નાટચપ્રગોનાં ઘણાં જ મહત્ત્વનાં ચિત્રો હતાં. બીજા એક ચિત્રમાં મધુબિંદુનાં દૃષ્ટાંતને લગતાં ચિત્રો હતાં અને બીજે ચિત્રો જૈન ધર્મની કેટલીક કથાઓને લગતાં હતાં. આજે જીર્ણોદ્ધારના નામે તેમજ નવીન કરાવવાના મેહે એ સુંદર ચિત્રોનું નામનિશાન પણ રાખવામાં આવ્યું નથી, ૨ ઝવેરીવાડ વાઘણપોળમાં શ્રી અજિતનાથ (બીજા તીર્થક૨)ના દેરાસરમાં લાકડામાં કોતરી કાલે એક નારીકુંજર છે, જે આ પુસ્તકમાં આગળ (ચિત્ર. નં. ૧૫૨-૧૫૩માં ) રજુ કરવામાં આવ્યું છે. પહેલાં આ નારીકુંજર જૈનોના ધાર્મિક વિરડામાં ફેરવવામાં આવતો. તેમાં તથા દેરાસરના રંગમંડપમાંની થાંભલીએ ઉપરની ચારે બાજુની પાટડીઓમાં બહુ જ સુંદર લાકડાનું કોતરકામ આજે પણ વિદ્યમાન છે. આ દેરાસર અમદાવાદના હાલના નગરશેઠના પૂર્વજોએ બંધાવેલું છે. ૩ ઝવેરીવાડ નિશાળમાં વિજયરાજસુરગવાળાઓના વહીવટવાળા શ્રી શાંતિનાથ ભગવાન (સોળમા તીર્થંકર)ના દેરાસરમાં લાકડાનાં સુંદર કોતરકામે આવેલાં છે, જે તેના વહીવટદારોએ બહુ જ કાળજીપૂર્વક સંભાળભરી રીતે સુરક્ષિત રાખ્યાં હોય તેમ, તે દરેક ઉપર જડી દીધેલા કાચ જેવાથી નિરીકોને દેખાઈ આવે છે. કાચ ઘણું સંભાળપૂર્વક જડેલા છે કે જેથી તેના ઉપર
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy