SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ ૧૫૯ ન ઉપજાવ્યા, ડાંસના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું ધિર ઝરવા લાગ્યું. (૪) વળી તીક્ષ્ણ મૂખવાળી ઘીમેàા પ્રભુના શરીરે એવી તે સજ્જડ ચાંટાડી કે આખું શરીર ઘીમેલભય થઈ ગયું. (૫) તે પછી વીંછીએ વિકાઁ. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા તે વીંછીઓએ ભગવંતના શરીરને ભેદી નાખ્યું. (૬) ત્યારપછી નેાળિયા વિક્રુષ્ણ. તે ખી! ખી!' એવા શબ્દો કરતા દાંડીદેાડીને પોતાની ઉમ્ર દાઢા વડે ભગવંતના શરીરનું માંસ તોડવા લાગ્યા. (૭) પછી ભયંકર સર્પો છેડી મૂક્યા. પરમાત્મન્ મહાવીરનું આખું શરીર—પગથી માથા સુધી—સૌથી છવાઇ ગયું. કણા કાઢી જાય તેવા જોરથી પ્રભુના શરીર ઉપર ાના પ્રહારો થવા લાગ્યા, દાઢી ભાગી ાય તેટલા છળથી તે ડસવા લાગ્યા. (૮) પછી સંગમે ઉંદરે વિદ્યુર્યાં. તે નખથી અને દાંતથી પ્રભુને ખણવા લાગ્યા અને તેની ઉપર પેશાબ કરીને પડેલા બ્રા ઉપર ક્ષાર છાંટવા જેવું કરવા લાગ્યા. (૯) તે પછી મદ્રેન્મત્ત હસ્તીઓ વિક્ર્માં, હસ્તીઓએ પ્રભુના શરીરને સૂંઢથી પકડી, હર ઉછાળી, તૂશળ ઉપર ઝીલી, દાંત વડે પ્રહાર કર્યાં અને પગ નીચે પણ દામ્યા. (૧૦) હાથીથી ક્ષેાભ ન થયા એટલે હાથણીમા આવી. તે હાથણીઓએ પણ તીક્ષ્ણ દાંતથી પ્રભુને ધણા પ્રહાર કર્યાં. (૧૧) પછી અધમ સંગમદેવે પિશાચનું રૂપ ધારણ કર્યું. તે પિશાચ અગ્નિની જ્વાળાઓથી વિક્રાળ બનેલા પેાતાના મૂખને કાડી હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યા અને અટ્ટહાસ્ય કરી ઘેર ઉપસર્ગ કર્યાં. (૧૨) તે પછી નિર્દય સંગમે વાધનું રૂપ લીધું, પેાતાની વ જેવી દાઢથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહેારથી પ્રભુના આખા શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩) છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ જોઇ સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનું રૂપ લીધું. તે જાણે કરણાજનક વિલાપ કરીને મેલવા લાગ્યા કેઃ હું પુત્ર ! તેં આવી દુષ્કર દીક્ષા શું કરવા લીધી. અમે ઘણાં દુ:ખી થઇ આડાંઅવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ, તું અમારી સંભાળ ફ્રેમ નથી લેતા ? આવા વિદ્યાપથી પણ પ્રભુ ધ્યાનમાં નિશ્ચલ જ સ્વા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિકર્યાં. તે છાવણીના માણસાએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂક્યું. અગ્નિ એટલે બધે આકરા કર્યાં કે પ્રભુના પગ નીચેથી પણ મળવા લાગ્યા, (૧૫) તે પછી એક ચાંડાલ વિષુવ્યાં. તે ચાંડાલે પ્રભુની ડેાકમાં, બે કાનમાં, એ ભુજામાં અને મો નંધા વગેરે અવયવા ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારા એટલા બધા ફર્યાં કે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિકુૉ, એ પવનથી પર્વતા પણ કંપવા લાગ્યા. પ્રભુને ઊપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વટાળીએ! ઊપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિંડની પેડે પ્રભુને ખૂબ ભ્રમાવ્યા. (૧૮) તે પછી સંગમે ક્રોધે ભરાઇને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકવ્યું. તે કાળચક્ર ઉપાડી તેથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તેઓ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલ્લામાં છેલ્લા અનુકૂળ પસંગે અજમાયશ કરવાના વિચાર કરીને, રાત્રિ હોવા છતાં પ્રભાત વિકવ્યું. માણસા આમતેમ કરવા લાગ્યા અને તેએ પ્રભુને કહેવા લાગ્યા કેઃ “હે દેવાર્ય ! પ્રભાત થઇ ગયું છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં કયાંસુધી
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy