SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જૈન ચિત્રકલ્પદ્રુમ તથા તોરણોથી શણગારવામાં આવ્યું હતું. પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહેળા, છત્રી ધનુષ્ય ઊંચી, સુવર્ણમય સંકો તેથી શોભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત એવી “ચંદ્રપ્રભા' નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યા.. તે સમયે હેમંત ઋતુનો પહેલે મહિને-માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણપક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છઠને તપ કર્યો હતો અને વિશુદ્ધ લેસ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણું ઉત્તમ સાડી લઇને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઇ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકોએ પાલખી ઉપાડી. ચિત્રની મધ્યમાં પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને બેઠેલા છે. બંને બાજુ અકેક સ્ત્રી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકોએ પાલખી ઉપાડી છે, પાલખીની આગળ બે માણસે ભૂંગળ વગાડતાં અને એક માણસ જેરથી નગારું વગાડતે તથા પાલખીની પાછળના ભાગમાં બે માણસે નગારું વગાડતાં દેખાય છે. મિત્ર ૫ પંચમછિલોચ અને અર્ધવસ્ત્રદાન. ઇડરની પ્રતના પાના ૫૦ ઉપરથી ચિત્રનું મૂળ કદ ૩૮ર ઈચનું છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કથાનો પરિચયની શરૂઆત નીચેના પંચમુષ્ટિ લોચના ચિત્રથી થાય છે. અશોકવૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઉતર્યા અને પિતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશને એવી રીતે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. એ વેળા નિર્જળ છઠ્ઠને તપતો હતો જ. ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ થયો ત્યારે ઇન્ડે ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર પ્રહણ કરીને, એકલા એટલે રાગદેવરહિતપણે કેશનો લોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપથી ભાવથી મુંડ થઇને, ગૃહવાસથી નીકળીને અનગારપણન્સાધુપણાને પામ્યા. ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂચ વસ્ત્ર તથા અશોકવૃક્ષની રજુઆત ચિત્રકારે કરી જણાતી નથી, મહાવીર પ્રભુ એક હાથે મસ્તકના વાળને લોન્ચ કરવાનો ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જોતાં, અને બે હાથ પસારીને પ્રભુએ લોન્ચ કરેલા વાળને ગ્રહણ કરવાની ઉત્સુકતા બતાવતો ઇન્દ્ર દેખાય છે, ઇન્દ્રના પાછળના એક હાથમાં જ છે જે ઇન્દ્રને ઓળખાવે છે, ખરી રીતે તો જ્યારે જ્યારે ઇન્દ્ર પ્રભુની પાસે આવે ત્યારે ત્યારે આયુધોને ત્યાગ કરીને જ આવે એવો રિવાજ છે પરંતુ ઈન્દ્રની ઓળખાણ આપવા ખાતર ચિત્રકારે વજ કાયમ રાખેલું હોય એમ લાગે છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલો અર્ધવસ્ત્રદાનને પ્રસંગ જોવાનો છે. જે વખતે શ્રમણ ભગવાન મહાવીર ગૃહસ્થપણામાં વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય ફેડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર સેમ નામ બ્રાહ્મણ ધન કમાવા માટે પરદેશ ગયો હતે. પતિ કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો ફર્યો. ગરીબીથી અકળાઈ ગએલી
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy