SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રકલ્પદ્રુમ એવા આત્માનું કેવા પ્રકારથી આત્મિક ગુણોના આવિર્ભાવ માટે ઉત્થાન થાય છે અને અનેક ઉપસર્ગ-પરીસની ઝડીઓને સહન કરવા સાથે કેવા પ્રકારથી આત્મિક ગુણેનો સંપૂર્ણશે આવિર્ભાવ કરી આધ્યાત્મિક ઉન્નતિના શિખર ઉપર આરૂઢ થાય છે અને લગતા સર્વ વિષયો આ ધર્મકથાગમાં ઉપલબ્ધ થાય છે. ઐતિહાસિક દષ્ટિ પણ આ કથાનુયોગમાં વિકાસ પામે છે. પ્રાથમિક ધાર્મિક રૂચિવાળાઓને આ અનુયોગ ગણે જ પ્રિય થઈ પડે છે. શ્રી જ્ઞાતાધર્મકથાંગ-ઉપાસકદશાંગ -ઉવવાઈ વગેરે આગમો તેમજ મહાવીરચરિએ, કુમારપાલ પ્રબંધ, પ્રભાવકર્ચારિત્ર વગેરે સંખ્યાતીત ચરિતાનુયોગનામન્થ આ ધર્મકથાનુયોગના પ્રાણ સમાન છે. જૈન દર્શનનું પ્રતિપાદન કરનારા આગમો તેમજ પૂર્વાચાર્ય વિરચિત મહાન ગ્રન્થમાં મુખ્યતયા દ્રવ્યાનુગ પ્રમુખ કેઈપણ એક અનુયાગનું પ્રાધાન્ય હોય છે. પણ જે મહાન ગ્રન્થનાં ચિત્રોને ઉદેશીને આ લેખ લખવાનો ઉપક્રમ થયો છે તે વૈલોક્યદીપિકા નામક બૃહતસંગ્રહણી ગ્રન્થમાં એક સાથે થોડાઘણા પ્રમાણમાં દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ વગેરે ચારે અનુયેગનો સમાવેશ થએલો છે. “ સૈયદીપિકા' નામના આ ગ્રંથમાં અપાએલા ઉદેશરૂપ જે છત્રીશ દ્વારો છે તે છત્રીશ દ્વારોમાંથી પ્રત્યેક દ્વાર ઉપર આયુષ્ય, શરીરપ્રમાણુ, જ્ઞાનની મર્યાદા વગેરે વિષયને ઉદ્દેશીને જે વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યાને દ્રવ્યાનુગમાં સમાવેશ છે. સૂર્યચંદ્રનો ચાર તે સૂર્યચંદ્રનું પ્રકાશ્ય ક્ષેત્ર, મંડલનું અંતર મંડલક્ષેત્ર વગેરે વિષયો ઉપરનો ઉહાપોહ ગણિતાનુયોગના સ્થાનને પૂર્ણ કરે છે. તાપસ વગેરે તથા પ્રકારના ધાર્મિક અનુદાનથી જ્યોતિષી વગેરે સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, અને વિશુદ્ધ ચારિત્ર્યવંત છો સર્વાર્થસિદ્ધ વિમાન અને ચાવત મોક્ષને પ્રાપ્ત કરે છે, તે વિષય ચરણકરણનુયોગાન્તર્ગત છે. ચક્રવર્તી, તીર્થકર, બલદેવ વગેરે કેટલી નારકીમાંથી આવેલા થઈ શકે, એકેન્દ્રિયગતિમાં કોણ ઉત્પન્ન થાય વગેરે ગતિ આગતિ દ્વારા પ્રસંગે ધર્મકથાનુયોગ નામના ચતુર્થ અનુયોગને પણ સ્થાન મળે છે. આ પ્રમાણે યદ્યપિ આ “શૈલેદીપિકા' એ દ્રવ્યાનુયોગના જ મુખ્ય વિષય ઉપર ઉપનિબદ્ધ થએલ છે, તથાપિ અંગેઅંશે અન્ય ત્રણે અનુગોનું દષ્ટિગોચરપણું પણ આ બહત્ સંગ્રહણીમાં ઉપલબ્ધ થાય છે. શ્રી કૈલોક્યદીપિકા નામક બૃહત્ સંગ્રહણીની સંકલના એક પ્રકારમાં જ દૃષ્ટિગોચર થતી નથી; પરંતુ જેનદર્શનના અજોડ અને અદ્વિતીય સાહિત્યમાં ભિન્નભિન્ન પ્રણાલિકાઓથી ભિન્નભિન્ન સંખ્યાવાળી ગાથાઓમાં સંકલિત થએલા એ બહત સંગ્રહણીના પ્રાચીન હસ્તલિખિત આદર્શો વર્તમાનમાં પણ સંશોધકોને હસ્તગત થવાનું જાણવામાં છે. વર્તમાનમાં છપાએલ બહત્ સંગ્રહણી પેકી શ્રી ભીમસી માણેક તરફથી પ્રગટ થએલ શ્રી બૃહત્ સંગ્રહણીમાં ૩૧૨ ગાથાઓ છે; માસ્તર ઉમેદચંદ રાયચંદ તરફથી પ્રગટ થએલા ગ્રન્થમાં ૪૮૫ ગાથાઓ છે; એવિર્ય સંઘવી નગીનદાસ કરમચંદની આર્થિક સહાયથી પ્રગટ થએલા શ્રી લઘુપ્રકરણુસંગ્રહ ગ્રન્થમાં ૩૪૯ ગાથાઓમાં કૈલોક્યદીપિકાની સંકલન દષ્ટિગોચર થાય છે; શ્રી આત્માનંદ સભા તરફથી શ્રીમાન મલયગિરિમહારાજાની ટીકા સાથે પત્રકારે પ્રગટ થએલ સંગ્રહણીમાં ૩૫૩ ગાથાઓ જોવાય છે; અને દેવચંદ લાલભાઈ! પુસ્તકેદ્ધારક ફંડ તરફથી શ્રીમલધારીગરછીય શ્રીદેવભદ્રસૂરિવિનિર્મિત વૃત્તિ સાથે પ્રકાશન પામેલા શ્રી ચંદ્રિયા બહસંગ્રહણી સુત્રમાં
SR No.008468
Book TitleJain Chitra Kalpadruma 1
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy