SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યકીનું દષ્ટાન્ત [ ૪૩૭ ] હું તરુણીઓ સાથે રતિક્રીડાને સંગમ કરું છું, ત્યારે મારી વિદ્યાઓ આ તરવારના અગ્રભાગ પર સંક્રમી જાય છે.” ગણિકાએ તે વાત મંત્રીને જણાવી. તેણે રાજાને કહ્યું. એટલે રાજાએ તેવા બે ધીર અને જરૂરી જેટલી જ પ્રહાર કરવાની કળાવાળા પુરુષોને આજ્ઞા કરી કે, “જ્યારે સત્યકી સુરત ક્રીડામાં રહેલું હોય, ત્યારે તમારે હણી નાખો. ઘણું દ્રવ્ય મળવાના લેજમાં લુબ્ધ થએલા એવા તે મુધ પુરુષે આ આજ્ઞાને અમલ કરવા તૈયાર થયા અને વિશેષમાં એ જણાવ્યું કે મારી ઉમાના શરીરનું રક્ષણ તમે કોઈ રીતે પણ કરશે. ત્યારપછી તરુણીના શરીર ઉપર કેટલીક સંખ્યા પ્રમાણે કમલપત્રો ગોઠવી અતિતીક્ષણ તરવારની ધારાથી તેમાંથી અમુક સંખ્યા પ્રમાણપત્ર ઉપર ઘા મરાવી તેટલાં જ પત્રે કપાયાં, પણ અધિક ન કપાયાં એમ મંત્રીએ ગણિકાને વિશ્વાસ પમાડી તે ગણિકાને ધીરજ આપી. વળી પ્રોતાજાએ તે બંને સુભટોને એકાંતમાં માલાવી ખાનગી કહ્યું કે, “આ દુખે કરીને કરી શકાય તેવું છે તે ભલે બંને હણાઈ જાય. - હવે તિ પ્રસંગ-સમયે પેલા બંને સુભટે ત્યાં છૂપાઈને રહેતા હતા, ચપળ તરવારની તકણ લાશથી તરત જ બંનેને સાથે હણી નાખ્યા. તરત જ તેની વિદ્યાઓ કપ પામી અને પ્રથમ શિષ્યને અંગીકાર કરીને પ્રદ્યોતરાજા અને લોકોને વારંવાર આક્રોશ કરીને નદીશ્વર શિષ્યની વાણી દ્વારા આકાશમાં અદ્ધર શિલા ધરીને કહેવા લાગે કે, “હે દુરાચારીઓ ! હમણાં જ તમને અને પીસી નાખું છું.” ભજવેલા વેત વસ્ત્રો ધાર્યું કરીને હાથમાં પૂર્ણ ધુપના કડછા ધારણ કરીને ભયવાળો રાજા પ્રદ્યોત તથા કે આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યા કે, હે વિદ્યાદેવી ! અમે દીન, અનાથ, શરણે આવેલા તમારા પગમાં પડીને વિનંતિ કરીએ છીએ કે, “હમણાં આપ અમારા ઉપરનો ક્રોધ શાન્ત કરો.” વિવાદેવીઓએ કહ્યું કે, “જે આ વસ્તુને પ્રચાર થાય તેવી તેની પ્રતિમા ઘડાવીને પૂજન કરો, તો જ તમારે છૂટકારો થાય. ત્યારે એ વાત સ્વીકારીને પર્વત, નગર, બગીચા, ગામમાં સ્ત્રી-પુરુષના લિંગના સમાગમ માત્રરૂપ દેવપ્રતિમા ઘડાવીને રાજા, મંત્રી, શેઠ, સાર્થવાહ અને સામાન્ય લોકો દેવકુલિકામાં તે પ્રતિમાઓ સ્થાપન કરાવીને પૂજન કરો, તે જ આ સંકટથી તમે મુકત થશે.” આ પ્રમાણે સર્વ સ્થળોમાં આ મિથ્યાત્વ વિસ્તાર પામ્યું. મૃત્યુ પામેલો અત્યકી પણ તે પ્રમાણે નગરના કૂવામાં પડ્યો. (૭૦) (૧૬૪) આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ હેવા છતાં પણ તીવ્ર વિષયરાગથી ઉપાર્જન કરેલાં કર્મથી દુર્ગતિ ગમન થાય છે. તે કહીને સાધુઓની સેવા-ભક્તિથી તેવાં ક શિથિલ-ઢીલાં થાય છે, તે વાત જણાવે છે. સુતfથા ન પૂણા, -સાર–વિનયશારો ! बद्धं पि कम्ममसुह, सिहिलेइ दसारनेया व ॥ १६५ ॥ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy