SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨૦ ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાતના ભૂમિને ખાતા હોવાથી અને તે પ્રમાણે દેખાવાથી “સુભમ” એવું નામ સ્થાપન કર્યું. ત્યાં આગળ તાપસકુમારના આકારને ધારણ કરીને, ચારે બાજુથી છૂપાએ રાખેલ તે વૃદ્ધિ પામતે હતો. રામની પરશુ જયાં જ્યાં ક્ષત્રિયને દેખતી હતી, ત્યાં ત્યાં અગ્નિને ભડકો થતા હતો. કંઈક સમયે તે આશ્રમની નજીકમાં ફરતા હતા, ત્યારે તેણે તાપસને પૂછયું કે, “તમારી પાસે કોઈ ક્ષત્રિય છે કે કેમ? તે કહે. ત્યારે તાપસીએ કહ્યું કે, ‘અમે ગૃહસ્થાવસ્થામાં ક્ષત્રિયે જ હતા.” આ પ્રમાણે તેણે સાત વખત પૃથ્વીને નિ ક્ષત્રિય બનાવી. તે ક્ષત્રિયાને મારી નાખી તેમની દાઢાઓ ખેંચી કાઢી તેણે એ થાળ ભર્યો હતે. આ બાજુ “સમગ્ર કલા જાણનાર અનેક વિદ્યા ધારણ કરનાર મેઘનાદ વિવાધરની પદ્મશ્રીકુમારીને ભતાં “સુભૂમ” નામનો ભાવી ચક્રવર્તી થશે.” એમ નિમિત્તિયાએ કહેલું હતું. ત્યારપછી તે વિદ્યાધર તેની સેવા કરવા લાગ્યો. તેના પર મમતા કરવા લાગ્યો. તેના પર આવતા વિદન-સમુદાયને દૂર કરવા લાગ્યો. તે સમગ્ર કલાસમુદાય અને શરીર-સંપત્તિમાં વૃદ્ધિ પામવા લાગ્યા. હવે કોઈ વખત શમે નિમિરિયાને પૂછયું કે, “કોનાથી મારું માત થશે?” તેણે જણાવ્યું કે, “જે તારા સિંહાસન પર બેઠેલો એ કઈ હશે અને જેના દેખતાં આ દાઢાઓ ખીર-ભોજનમાં પલટાઈ જશે અને તેનું જે ભક્ષણ કરશે, તેનાથી તને ભય સમજ.” ત્યારપછી તે જાણવા માટે કોઈક મહાદાન આપવાના સ્થાનમાં આગળ દાઢાઓ સ્થાપન કરેલ વિશાળ થાળ ગોઠવીને પિતાનું સિંહાસન ગઠવ્યું. ત્યાં આગળ સતત રક્ષણ કરનારા આત્મરક્ષકો ખેલા હતા. તેમને આજ્ઞા કરી હતી કે, “આ સિંહાસન ઉપર જે કોઈ બેસે, તેને તત્કાળ તમાર મારવો.” આ પ્રમાણે નિરંતર દાન પ્રવર્તતું હતું. એવી દાનશાળા હમેશાં ચાલતી હતી. એક દિવસે સુભમે માતાને પૂછયું કે, “હે માતા! આ આશ્રમ અને વન જેવડા જ લેક હશે કે કયાંઈક આ કરતાં વિરતાવાળા હશે ? (સં૮૦૦૦) ત્યારપછી માતાએ વિસ્તાર સહિત હસિતનાપુરમાં કાર્તવીર્ય અને પરશુરામ પરસ્પર પિતાઓની પરંપરાથી ચાલ્યો આવતે વિરભાવ યાવત મેં તને ગુપ્તપણે પાંદડાની ઝુંપડીમાં જન્મ આપે. તેથી કરીને હે વત્સ! તું ગુપ્તપણે નિવિદને તે એને તું શમની પરની ભયંકર ધારાની અતિઆકરી અગ્નિજવાળામાં પર બની જાય. તે સાંભળીને હવે તેને બહાર જવાની અભિલાષા થઈ. તાપસેએ ઘરે નિવા કરવા છતાં પણ અભિમાનથી ત્યાંથી દેડીને નીકળ્યો અને હસ્તિનાપુર પહોંચ્યા. ઠાનશાળાએ જનની આશાથી ગયા. હજુ જેટલામાં આજે ભોજન પ્રાપ્ત કર્યું નથી, એટલામાં સિંહાસન પર આરૂઢ થયા. એકદમ આકંદન શબ્દો મૂકીને રામની પશિની અધિષ્ઠાત્રી વાવંતરી ત્યાંથી નાસી છૂટી. ત્યારપછી તે દાઢા ક્ષીર ભજનમાં પણ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy