SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ માગરાજ-શંકરિકાની કથા [ ૧૭૭ } દીવાનને આપવા માટે ૧૦૦ સેનામહેરો સાથે લેતા આવવી અને એકાંતમાં મને આ પવી, જેથી તમારા પ્રજનની સિદ્ધિ તત્કાલ થશે.” ગાજ-કાર્ય સિદ્ધ થશે એટલે દીવાનનું ઓચિય હું જરૂર કરીશ” થેક બે. પગલા આગળ ચાલ્યા, એટલે એ પહેરેગીરે મળ્યા. તેઓ પણ તે જ પ્રમાણે માગણી કરવા લાગ્યા. તેમને પણ “કાર્ય સિદ્ધ થશે એટલે તમોને સંતોષ પમાડીશું.” એમ બત્રીશ, સોળ વગેરેની માગણી કરતા હતા, તેને તે જ ઉત્તરો આપતાં આપતાં દરવાજા સુધી આવી પહોંચ્યા. સાંકળથી બાંધેલા હાથકડીઓથી જકડેલા વ્યાપારી લોકોના સમુદાયને દેખીને પહેરેગીરો ને પૂછયું કે, “કયા અપરાધથી આ સર્વને નિયંત્રિત કર્યા છે?” હાથ બતાવતાં તેણે જણાવ્યું કે, રાજાના કુળમાંથી વગર પૂછયા ઈન-બળતણ માટે છાણાં લઈ ગયા. વળી તે ઈન્જનથી આણે ઘરે રાખ્યું અને ભજન કર્યું, ત્રણ-ચાર પાડોશીઓને ત્યાં તેનો ધૂમાડો રોકાયે, તેમનાં ઘરમાં ધૂમાડે ફેલાઇને વ્યાપી ગયે, તેમની કૂતરી રાજ હાથી સન્મુખ ભસવા લાગી, તેના ઘર પાસેથી જાને અતિશય શરીર-પીડા થઈ, તેથી રાજાના અપરાધી બન્યા. આ કારણે રાજાએ તેમનું સર્વસ્વ દંડમાં લઈ લીધું. માગરાજ-અહો ! અન્યાયની પરાકાષ્ઠા, અહો ! યુક્તિ વગરની પ્રતિષ્ઠા-વાત, પનિકે, ધર્મીઓ અને સાધુઓ માટે ખરેખર અત્યારે કાળરાત્રિ આવી લાગી. અમાત્ય ૧૦૦ સેનામહોરોની માગણી કરે છે, પહેરેગીરો અને તેવાં બીજાઓ પણ ઈચ્છા પ્રમાણે માગે છે. ઘેડે તે મને માત્ર પચાસમાં જ મળશે. હરણ થયેલ મેળવતાં વધારે ખર્ચ થશે. જે હવે અહિથી હેમ--એમ નિર્વિદને જીવતો નીકળી જાહ', તે મેં સર્વ મેળવ્યું. કલિકાલ અને ધનલુબ્ધ રાજાઓ હોય, ત્યારે ધનનું રક્ષણ કરવું કે જીવિતનું રક્ષણ કરવું ? ખરેખર કાન વગરના બોકડાને કસાઈથી છૂટી જવાય, તે જ તેને લાભ છે. ૨ પ્રમાણે નિરાશ બનેલો ગાજ નીકળી ગયે અને જેનું મુખ- દ્વાર પરાવતન થઈ ગયું છે, તેવી સાવગિરી ગુરુની મઠિકા ખળતું હતું, પણ દ્વાર ફેરવાઈ ગયેલ હોવાથી આમ-તેમ ખેળવા છતાં તેનો પત્તો લાગતો ન હતો, એટલે નિરાશ બની વિચાર્યું કે, “વાગેલા ઘા ઉપર ક્ષાર ભભરાવવા સખું આપણને સંકટ આવ્યું છે. હું માનું છું કે, “જે ગતિ અશ્વની થઈ છે, તેવી જ ગતિ હજાર સોનામહોરની થઈ જાય છે. કેઈક સમય છત્રધારક ચતુરે ભિક્ષુક વેષમાં ફરતા તેના શિષ્યને ૨. તેની પાછળ-પાછળ સાવગિલી ગુરુની મઠિકામાં ગયા. તેમને પ્રણામ કરી તેની સામે બેસીને કહ્યું કે, “હે ભગવંત! થાપણ તરીકે મૂકેલ હજાર સોનામહોરો પાછી આપો.” "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy