SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૬ ] પ્રા. ઉપદેશમાતાને ગૂજનુવાદ યતા આપીને તેમ જ ઘણું ધન-સમૃદ્ધિથી સમૃદ્ધ કરીને કાનમાં કંઈક ગુપ્ત વાત કહીને ફરી સુધનને અવંતીમાં મોકલ્યા. સાથે કેળવેલો એક માકડો આપ્યો. તે એ હતું કે, જેટલું દ્રવ્ય ગળાવીને છૂટે મૂકી દીધું હોય અને પછી જેટલું પાછું માગી તે તેટલું જ આપે. ઉજજયિની નગરીમાં પહોંચી તેણે ફરી વ્યાપાર-રોજગાર શરુ કર્યો. તેમાં હવે ઘણે ધનાઢ્ય બની ગયે. આ વાતની મકરદાઢાને ખબર પડી, એટલે દાસીઓ દ્વારા વિવિધ વચનની યુક્તિ અને ભક્તિ વડે મનાવીને પોતાના ઘરે લાવ્યા. મકરદાઢા કહેવા લાગી કે- જયારથી માંડીને તમે કહ્યા વગર અહિંથી ચાલ્યા ગયા, ત્યારથી માંડી આજ સુધી આ કામપતાકા વેણીબંધ બાંધીને શરીરશોભા ટાળીને મનમાં શાતી, મરવાના વાંકે જીવતી રહી કદાચ “જીવતે નર ભદ્રા પામે” તે ન્યાયે જીવતા હઈશું તે ફરી મેળાપ થશેએ આશાએ પ્રાણ ધારણ કરતી હતી. આટલો કાળ તે તમારા વિરહમાં કામ પતાકાએ આવી દુઃખી અવસ્થા પસાર કરી. કઈ પ્રકારે ફરી તમારી મળવાની આશા આશ્વાસન આપી છવાડી છે. આ પ્રમાણે સુધનને ઠસાવીને મકરદાઢાએ કામ પતાકાને કહ્યું કે, “હે વત્સ ! હવે તારા મનોરથો પૂર્ણ કર. ત્યારપછી પૂર્વ માફક વિવિધ હાવભાવ, કટાક્ષ વગેરે ઉપચારથી તેને રંજન કરવા લાગી. અક્કા-માતા જયારે જ્યારે ધન માગતી હતી ત્યારે ત્યારે વૃક્ષના થડ સાથે બાંધેલા માકાડાની અને થડની પૂજા કરી જેટલું ધન માગે તેટલું આપ્યા કરે છે. આ દેખીને અક્કાનું ચિત્ત ચમત્કાર પામ્યું અને ચમત્કારની હકીકત કામ પતાકાને પૂછવા માટે કહી રાખ્યું કે, વિનતિ પૂર્વક પરમાર્થ પૂછી લેવો. હવે કામ પતાકા નેહપૂર્વક વિનયથી પૂછવા લાગી કે-“હે પ્રાણેશ ! દ્રવ્ય મેળવવાનો આ કેઈ અપૂર્વ ઉપાય છે, તો કૃપા કરી આ વિષયનો શે પરમાર્થ છે. ? તે કહો.” સુધને કહ્યું કે, હે પ્રિયા ! આ હકીકત કોઈ પાસે તારે પ્રકાશિત ન કરવી. આ માકડું કામધેનુ-સમાન છે. તેની પાસે સે, હજાર, લાખ, ક્રોડ, અબજ ગમે તેટલું દ્રવ્ય માગીએ, તે પણ તે આપતાં થાકે નહિં. ત્યાર પછી કોઈક વખત અદ્ધાના કહેવાથી વિવિધ સનેહપૂર્ણ વાણી આદિના પ્રકારો વડે તેનું મન રીઝવીને કામ પતાકાએ કહ્યું કે, “હે પ્રિય ! મને તમારા પ્રત્યે એટલે સ્નેહ છે કે તમારા ખાતર મારા પ્રાણ પણ અર્પણ કરું. હે પ્રિયે ! તમને મારા પ્રત્યેની સ્નેહ-રખાને કસોટીપાષાણુ કે છે? સુધને કહ્યું કે, “હે પ્રાણપ્રિયા ! નક્કી મને પણ પ્રેમ-મમ અતિમહાન છે. સફેદને કાળું કરનારો હું તેથી ત્રિ-દિવસ હંમેશાં તારી પાસે જ રહું છું. કામ પતાકાએ કહ્યું કે, “એ વાતમાં મને સદેહ નથી. માતાજીને પણ આવો જ વિશ્વાસ છે. જેથી કરીને તેણે મને કહ્યું છે કે-હે વત્સ ! આ જમાઈને તારા ઉપર આટલે માટે સ્નેહ છે, જે કદાચ તું મર્કટ-કામધેનુની પ્રાર્થના કર, શું તે તને ન આપે ?” એટલે સુધને વિચાર્યું કે- સમય આવે ત્યારે શત્રુ "Aho Shrutgyanam'
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy