SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~-~* * * -- દેવતાઈ વદાનવાળા ચિત્રકારની કથા [ ૧૨૧ } લબ્ધિ પ્રાપ્ત કરીને ઘરે જઈને પેલી વૃદ્ધાને પ્રણામ કર્યા. પિતાનો વિધિપૂર્વક આરાધના વૃત્તાન્ત લોકોને જણાવ્યું એટલે જા, નગરલોક વગેરેએ તેનું સન્માન કર્યું. કેટલાક દિવસ પછી કૌશાંબી નગરીએ પહોંચે. ત્યાં શતાનિક રાજા પિતાની એક ચિત્રસલા ચિત્રાવે છે. તેમાં ભિત્તિ ઉપર ચિત્રો ચિત્રાવવા માટે ક્રમસર દરેક ચિતાઓને વહેચી આપવામાં આવે છે. તેમાં રાજસભા, રવાડી, અંતઃપુર, ઘેડા, હાથમક્રીડા, વળી કઈકને અપૂર્વ ચિત્રામણ આલેખન કરવાનું કાર્ય સોંપ્યું. (૩૦) દેવતાઈ વરદાન મળેલા ચિત્રકારને અંતઃપુરની તરુણીઓનું કીડા-કૌતુક ચિતરવાને પ્રદેશ પ્રાપ્ત થયો. જેમાં તે રાજાને ચિતરવા લાગ્યા. કોઈ વખત રાજાના પરમ પ્રેમનું પાત્ર એવી મૃગાવતી રાણી ગવાક્ષમાં ઉભી હતી, ત્યારે આ ચિતારાએ તેના પગને અંગુઠે દેખે. તેના આધાર મૃગાવતીનું રૂપ જોયા વગર વરદાનના પ્રભાવથી આબેહૂબ અતિશય તેના રૂપના અનુરૂ૫, રેખાથી મને હર વસ્ત્રાભૂષણથી અલંકૃત સુંદર રૂપ આલેખ્યું. હજુ જેટલામાં આંખ મીંચાઈ ગઈ, તેટલામાં સાથળ પ્રદેશમાં પછીના અગ્રભાગથી મશીબિન્દુ ટપકી પડ્યું. ભૂંસી નાખવા છતાં ફરી પણ પડયું, ફરી બંસી નાખ્યું, તે પણ પાછું મશીબિન્દુ ટપકી પડયું. નક્કી તેના સાથળમાં આ કાળ મા હશે જ, માટે ભલે રહ્યું. હવે તેને નહિં ભુંસીશ. આખી ચિત્રસભા ચિતરાઈ ગઈ, રાજા જેવા આવ્યા. મૃગાવતી દેવીનું રૂપ જેટલામાં દેખે છે, એટલામાં નિધ-નેહવાળું ચિત્ત હતું. તે વિધાઈ ગયું. જંઘા પર મસાને દેખીને વિચારવા લાગ્યા કે, ગુપ્ત લંછન આણે કેવી રીતે જાયું હશે? ગમે તે હે, પરંતુ આ ચિત્રકારે નક્કી મૃગાવતીને ભ્રષ્ટ કરી છે. ત્યારપછી દેધથી લાલનેત્રવાળા રાજાએ તેને મારી નાખવાનો હુકમ કર્યો. “મન અનુગાની માફક કોપાયમાન થએલા પણ અવિચારિત કાર્ય કરનાર હોય છે. રાજાએ વિચાર કર્યા વગર કાર્ય કરનાર હોય છે, ધનિકોનું નિષ્ફર કરવાપણું, ગુણીઓ ગુણીની ઈર્ષ્યા કરનારા હોય છે, તુરછ કાર્ય કરનારને આ ત્રણેય હોય છે.” મૃગાવતી શીલગુણમાં મહાસતી છે, એમ જગતમાં પ્રસિદ્ધ છે, દેવી તરીકે પ્રસિદ્ધિ પામેલી છે, સમુદ્રની વેલા મર્યાદા છેડતી નથી, તેમ પિતાની મર્યાદા ચુકે તેમ નથી, શતાનિક રાજા આ સર્વ મનમાં જે કે જાણે જ છે, તે પણ ક્ષણવાર તે મોકપિશાચને પરવશ બની જાય છે. (૪૦) દેવીઓમાં મૃગાવતી દેવી ગંગા નદી માફક શુદ્ધ છે, અકલંકિતમાં આ કલંકની, શંકા કેમ ઉત્પન્ન થઈ ? આ વસ્તુમાં બીજે કઈ પરમાર્થ જગતમાં નથી, જે અતિ વિશુદ્ધ છે, તેને કોઈ પણ આળ ચડાવી શકે તેમ નથી. ચિત્રકાર મનમાં એમ વિચારતો હતો કે રાજા તરફથી મને શ્રેષ્ઠ કૃપા અવશ્ય પ્રાપ્ત થશે જ, પરંતુ મનુષ્ય પાર છે કંઈ અને દેવ કરે છે બીજું કંઇક, દેવયોગે મરણ માફક દુખ પામ્યો. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy