SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ -- - -- -- -- બ્રહ્મદત્ત ચક્રીની કથા [ ૮૭ ] ચંડાળે નમુચિને કહ્યું કે, “મૃત્યુના મુખમાંથી બચવું હોય તે મારા પુત્રને કેળાઓ શીખવ,” તે વાત કબૂલ કરી ગુપ્ત ભોંયરામાં રાખી હર્ષપૂર્વક નમૂચિ બ્રાણા કળાઓ શીખવવાનું શરુ કર્યું. “જી પ્રાણ બચાવવા માટે ગમે તેવું કાર્ય કવીકાર છે.” અમર કળા-કલાપ વિચક્ષણ પુત્રોને ભણાવે છે અને માતંગની પ્રાણપ્રિયા સાથે ગુપ્તપણે ચારીથી ક્રીડા કરવા લાગ્યા. ચંડાળને ત્યાં અન્નજળ વાપરવા, તેની ભાર્યા સાથે છૂપી કીડા કરવી-એ ઉત્તમ જાતિના બ્રાહ્મણનું ચરિત્ર ન ગણાય, ગુણવંતને અકાય ભ્રષ્ટ કરનાર થાય છે. નમુચિને આ અપરાધ જાણીને ચંડાલ મારી નાખવા તૈયાર થયા. પિતાથી પતની વિષે પદારા-વિષયક અપરાધ કેણ અહી શકે? આ વાત પુત્રના જાણવામાં આવી, એટલે તેમણે નમુચિને પગ દબાવી તેને વાકેફ કર્યો અને બહાર નીકળી જવા કહ્યું, એટલે તે હસ્તિનાપુર પહશે. “ઉપકારના બદલામાં ઉપકાર કરે છે તે એક વેપારને સદે ગણાય એમાં કોઈ ગુણ ન ગણાય, પરંતુ તેને જે જીરવનાર હોય છે, તેવાનાં વખાણ કેટલાં કરવાં? ત્યાં સનકુમાર ચક્રીએ તેને સચિવ-મંત્રી બનાવ્યા. તત્વ-વસ્તુસવરૂપ ન જાણનાર મહિના સ્થાનમાં કાચ જડી દે છે. કામદેવ રાજાની વિજયયાત્રા શરદ-સમય આવ્યો, ત્યારે ચિત્ર-સંભૂત ચંડાલપુત્ર અતિ મનોહર યોવન વય પામ્યા. મહાદેવે શૃંગારદીક્ષામાં દક્ષ એવા કામદેવને બાળી નાખ્યો, ત્યારે વિધાતાએ અહંકારથી જ જાણે બે નવા કામદેવેનાં નિર્માણ કર્યા હોય, તેવા તે બંને કિન્નર સરખા કંઠવાળા, તેના કંઠની પાસે નારદની વીણા પણ અપવીણા જણાતી હતી. તેઓ જ્યારે ગાતા હતા, ત્યારે સુંદર સવારથી કાનને પારણું થતું હતું. વર, તાલ, મૂછના, છાયાથી યુક્ત તેનું સંગીત સાંભળીને કેયલના મુખેને મુદ્રા દેવાઈ ગઈ છે, તેમ હું માનું છું. ત્યારપછી વસંત વિલસે છે, જેના પતિઓ પ્રવાસી થયા છે, તેવી સ્ત્રીઓને વસંતને સૂકવી નાખનાર, વિયેગી નહિ, એવા સંયુક્ત -યુગલોને આનંદ આપનાર વસંત, લોકેના હદયમાં ન વસે-ન માય એ વસંત પ્રકટ થયા. ઉજજવલ પૂર્ણચંદ્રરૂપ છત્ર ધારણ કરનાર, મલયાચલના પવનથી મનહર વિંજાતા ચામરવાળે, કામદેવરૂપ સેનાપતિવાળે વસંતરાજા જગતમાં જય પામી રહેલો છે. આકાશરૂપ વાટિકા, તારારૂપ પુપિ, કામરૂપ માળી વડે કરીને આ ગારરસને ઉત્તજિત કરનાર ચંદ્ર શોભી રહેલ છે. “આ વસંતસમયમાં કોઈ પ્રવાસ અગર અભિમાન ન કરશે.” આ પ્રમાણે જગતમાં મદન કેકિલાના શબ્દની ઢઢર દેવ છે. તે સમયે સ્થાને સ્થાને અતિઆનંદથી રોમાંચિત થએલા હૃદયવાળા લોકો એકઠા થઈ મંડલી રચી રાસડાઓ ગાતા ગાતા લેતા હતા. આ બંને -ચંડાલપુત્રે પણ મનહર સંગીત દાણા જ મધુર સ્વરથી ગાતા ગાતા નીકળ્યા. મધુર શબ્દથી જેમ હરણિયાએ આકર્ષાય, તેમ નશકે પણ સવે આકર્ષાયા. -બીજાનાં સંગીત નિષ્ફલ થવાથી તે ઈર્ષાલુઓએ રાજાને ફરિયાદ કરી કે, “આ ચંડાલ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy