SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જેન ચિત્રક૯૫૬મ કહેવું ઉચિત છે. આપણા પ્રાચીન લેખકે બે લીટી વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈ તે ઠેકાણે લખાતાં હવ-દીર્ઘ ઇ-ઉનાં પાંખડાં ( 1 ), માત્રા ( * ) વગેરેને નાના માપમાં અથવા અઢમાત્રા પ્ર6િzમાત્રા એ લખતા હતા. એટલેકે હવ-દીર્ધ ઉકારનાં પાંખડાને અત્યારે આપણી ચાલુ લિપિમાં લખીએ છીએ તેમ અક્ષરની નીચે ન લખતાં જે રીતે દીર્ઘ છે અને હરવ-દીર્ધ ૬ ૪ માં ઉકાર જોડવામાં આવે છે તેમ દરેક અક્ષરની આગળ જોડતા, અને અત્યારે પણ કેટલાએક લેખકો એ રીતે જોડે છે. આજે અમે “અઝમાત્રા” તરીકે ઓળખાવીએ છીએ. આ અગ્રભાત્રાએ આજે અધોમાત્રાના રૂપમાં ફેરવાઈ ગએલી છે. અત્યારે અક્ષરની સાથે જોડાતા હસ્વ દીર્થ ઉકાર ( ૩ ) એ પ્રાચીન આકૃતિઓના પરિણામરૂપ છે. જેમ હસ્વ-દીર્ધ ઉકાર અઝમાત્રા” તરીકે લખાતા હતા તેમ આપણી માત્રાઓ, ચાલુ લિપિમાં લખાય છે તેમ “áમાત્રા” તરીકે અર્થાત અક્ષરની ઉપર ન લખાતાં અક્ષરની પાછળ લખાતી હતી, અને એ જ કારણથી આપણે ત્યાં એ માત્રાઓને “પડિમાત્રા” ( પૃષ્ટિમાત્રા==૦ ટ્રિમત્રા T૦ હિમાત્રા) તરીકે ઓળખવામાં આવે છે. એ પડિમાત્રાઓ કાળે કરી ઊર્ધ્વમાત્રા તરીકે એટલે અક્ષરની ઉપર લખાવા લાગી છે. દા. ત. કેકવિ, =ાચ, નો==ા, ન=મો ઇત્યાદિ. ટૂંકમાં અમારા કથનનો આશય એ છે કે પ્રાચીન કાળમાં લખાતી અગ્ર માત્રાઓ અને પૃદ્ધિમાત્રાઓ (પડિમાત્રાઓ) પાછળના જમાનામાં અધોમાત્રા અને ઊર્ધ્વમાત્રાના રૂપમાં ફેરવાઈ ગઈ છે. અહીં અમે પ્રાચીન વર્ણમાળાના વિકાસને અંગે લખવા નથી બેઠા, તેમ છતાં આ વિષયને અહીં આટલો ચર્ચવાનું કારણ એ છે કે પ્રાચીન લેખકોએ પોતાના લેખનમાં સુગમતા અને લિપિમાં એને ખરે અર્થ છે હશે એ માટે કોઈ પ્રાચીન ઉલ્લેખ મળતું નથી, તેના જાણકારેને એ માટે પૂછતાં તેઓ સં. પ્રતિમાત્રા શબ્દને નિર્દેશ કરે છે, પરંતુ પ્રતિમાત્રા' શબ્દથી વાસ્તવિક અર્થ પ્રગટ થતા નથી એમ અમને લાગે છે, એટલે અમે પડિમાત્રા” શબ્દને છે. કૃષ્ટિમાત્રા શબ્દ ઉપરથી આવેલે માનીએ છીએ, જેને “અક્ષરની પાળ લખતી માત્રા' એ વાસ્તવિક અર્થઘટમાન છે. આ રીતે ‘અક્ષરની આગળ લખાતી માત્રા' એ અર્થને ધ્યાનમાં રાખી અમે “અગ્ર માત્રા શબ્દ ઉપનવી કાઢયે છે પ્રાચીન લિપિમાં ડિમાત્રાને જે અવકાશ હતા અને તેને પ્રચાર હતા તેના દશાંશ જેટલે યે અગ્રભાવને અવ કાશ કે તેને પ્રચાર નહોતે, એ પ્રાચીન શિલાલેખો અને પુસ્તકે જોતાં સમજી શકાય છે, પડિમાવાનો પ્રચાર એક કાળે લગભગ સાર્વત્રિક અને નિયત હતો, જ્યારે અમાત્રા માટે તેમ ન હતું. પડિમાત્રા લખવાની પદ્ધતિ એ, લિપિને એક વિશિષ્ટ વાર છે, જ્યારે અગ્રભાત્રાની પદ્ધતિ એ લિપિ લખવાની સુગમતા અને સુઘડતાને આભારી છે એમ અમે માનીએ છીએ. પડિમાત્રાનું લેખન આજે સર્વથા આથમી ગયું છે, જયારે અગ્નમાત્રાનું લેખન આજે કેટલાક લેખમાં ચાલુ છે. કેટલાક વિદ્વાનોનું માનવું એવું છે કે વિક્રમની તેરમી સદી પહેલાં પડિમાની જ લખાતી હતી. પ્લૅમાત્રાને ત્યારે પ્રચાર જ ન હતા; આ માન્યતા તદ્દન ભૂલભરેલી છે. વિક્રમની બારમી સદી અને તે પહેલાં લખાએલા એવા અનેક ગ્રં અને શિલાલેખ આજે મળે છે, જેમાં પડિમાવાને બદલે ઊર્થમાત્રાઓ પણ લખેલી છે. પાટણના સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારમાંના પંચસંગ્રહ પજ્ઞ ટીકા વગેરે અગિયારમા સૈકામાં લખાયેલા જેવા લાગતા ગ્રંથોમાં ઉર્વમાત્રાએ જ લખાએલી છે. (જુઓ ચિત્ર ને ૧૬માં ઉપરનું પહેલું ૧૫૯ નંબરનું પાનું). સંતેજના જેન મંદિરમાં એક પ્રતિમાના પરિકર ઉપર સંવત ૧૧૨૪ લેખ છે, તેમાં ડિમાત્ર બીલકુલ ન હતાં બધીયે ઊર્ધ્વમાત્રાઓ જ લખેલી છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy