SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ samas gassizzzzzzzzENTIBSITES NANTNINAMSINASABINAFANASEMANARODENINARIMINE સચન છે કે જે શેષમાં બે કે શૂન્ય રહે તે દિવસે અલગ હોય છે.” I 1 II આ રીતે ગણીએ તે સૂર્ય નક્ષત્રથી બીજે, સાતમે, નવમે, ચૌદમે, સેળભે, એકવીશમે, વીશમે અને અઠયાવીશમે સ્થાને રહેલ ચંદ્રનક્ષત્રમાં આડલગ છે. આ યોગનો પણ શુભકાર્યમાં ત્યાગ કરે, પણ યાત્રામાં તે આ યોગ વિશેષ કરીને વર્જ. સૂર્ય નક્ષત્રથી બારમું નક્ષત્ર પણ સૂર્યની લાતથી દૂષિત છે. મુહુર્તચિંતામણિમાં કહ્યું છે કે-સૂર્ય નક્ષત્રથી છ૭, તેરમું, વશમું અને સત્યાવીશમું નક્ષત્ર ભ્રમણાગ છે, તે યાત્રામાં ત્યાજ્ય છે અને આડલગ દરેક શુભકાર્યમાં વિર્ય છે. ઉપર જેમ સૂર્યનક્ષત્રથી ચંદ્રનક્ષત્રમાં શુભાશુભ યોગો થાય છે, તેમ દરેક ગ્રહના યોગેથી પણ શુભાશુભ યોગ થાય છે. પૂર્ણિમાના ચંદ્રનક્ષત્રથી આઠમું, મંગળના નક્ષત્રથી પહેલું, બીજુ, ત્રીજું અને અઠયાવીસમું, બુધને નક્ષત્રથી ત્રેવીસમું, ગુરૂના નક્ષત્રથી છઠ્ઠ, શુકના નક્ષત્રથી પચ્ચીશમું અને સત્યાવીસમું શનિના નક્ષત્રથી પહેલું, બીજું, આઠમું અને અઠયાવીસમું તથા રાહુ નક્ષત્રથી પહેલુ, બીજુ, નવમું, પંદરમું, એકવીસમું અને સત્યાવીસમું નક્ષત્ર દુષ્ટ છે, કેમકે-આ નક્ષત્રમાં “મિત આલિંગિત દગ્ધ લત્તા અને પાત વિગેરે ગ થાય છે, જેને શુભકાર્યમાં સર્વથા ત્યાગ કરે. લત્તા અને પાત સંબંધે વિશેષ વર્ણન (ગાથા ૧૩૫–૧૩૬ માં) આગળ કહેવાશે તથા સદ્યોરિટના બુધ પંચક વિગેરે પેગો પૂર્વે કહેવાઈ ગયા છે. ચાર વસ્તુના સંયોગથી જે વેગો થાય છે તેવા યોગો દરેક ગ્રન્થમાં દષ્ટિગોચર થતા નથી. પણ આરંભસિદમાં પાકશ્રી ગ્રન્થના આધારે નીચે મુજબ શુભાશુભ યોગ કહેલ છે. વદિ એકમથી શરૂ થતાં પૂર્ણિમા પર્યત કાતિક કે માગશરમાં પાંચમ દિને ગુરૂવાર અને પુનર્વસુ નક્ષત્ર હોય, પિષ કે મહાની છઠ્ઠને દિને શુક્રવાર અને ઉત્તરાફાગુની નક્ષત્ર હોય, ફાગણ કે ચૈત્રની તેરશે બુધવાર અને વિશાખા નક્ષત્ર હોય, વૈશાખ કે જેઠની એકમે ઉત્તરાફાલ્ગની કે મૂલ નક્ષત્ર હોય, અષાઢ કે શ્રાવણની બીજે સોમવાર અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર હોય તથા ભાદર આસો માસની સાતમ દિને શનિવાર અને રોહિણી નક્ષત્ર હોય તો તે દરેક શુભગે છે. “અને કાર્તિક કે માગશરની દશમે મંગળવાર અને આદ્ર હોય, પિષ કે મહામાસની અગીયારશે ગુરૂવાર અને પૂર્વાફલ્યુની નક્ષત્ર હય, ફાગણ કે ચૈત્રની બારશે શુક્રવાર અને સ્વાતિ નક્ષત્ર હોય, વૈશાખ કે જેની તેરશે શનિવાર અને શ્રવણ નક્ષત્ર હોય, અષાઢ કે શ્રાવણની ચૌદશે બુધવાર અને પૂર્વાફાલ્યુની નક્ષત્ર હોય તથા ભાદર આસો માસની પૂર્ણિમા દિને રવિવાર અને કૃત્તિકા નક્ષત્ર હેય; તે તે દરેક ગો અશુભ છે.” ૧૭૧
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy