SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ મિસ્ત્રો નર્મદાશંકરભાઈએ “શિલ્પરત્નાકર' માં કેસરી જાતિને બીજો સવભદ્ર પ્રાસાદ નવ શૃંગવાળા જણાવ્યું છે. તેમાં ચારે ખૂણે અને ચારે કે એક એક શ્રગ ચઢાવેલ છે તે શાસ્ત્રીય નથી. શાસ્ત્રમાં તે ખૂણું ઉપર બે બે જંગ ચઢાવવાનું અને ભદ્ર ઉપર શૃંગ નહિ ચઢાવવાનું લખ્યું છે. જુઓ ક્ષીરાવમાં સાફ લખેલ છે કે-ળે ઇંદ્રઘં કાર્ય માં છં વિવર્નરેન્દ્ર આ પ્રમાણે સેમપુરા અંબારામ વિશ્વનાથ પ્રકાશિત “કેસરાદિપ્રાસાદમંડન” પૃષ્ઠ નં. ૨૫ શ્લોક ૧૪ છે. આ લેકને બદલે “ળે તથા કાર્ય પદે શ્રા તથા રા' આ પ્રમાણે પાનું પરિવર્તન કરી નાખ્યું છે. આ પ્રાચીન વાસ્તુશિલ્ય ગ્રંથને વિકૃત કરે યોગ્ય ગણાય નહિ. આ “શિલ્પરત્નાકર નું અનુકરણ “દીપાર્વણ ના અનુવાદક પણ કરેલ છે. જુઓ દીપાવ પૃષ્ઠ નં૦ ૩૨૧માં સર્વ ભદ્ર શિખરને બ્લેક. પરિશિષ્ટ ન. ૨ માં જિનપ્રાસાદેનું વર્ણન છે. આ પ્રાસાદે ઉપર શ્રીવત્સ શૃંગાને બદલે કેસરી આદિ ક્રમ ચઢાવવાનું જણાવેલ છે. તેમાં પહેલો કમ પાંચ અંગવાળા, બીજે ક્રમ નવ ઇંગોવાળો, ત્રીજો ક્રમ તેર શ્રેગવાળા અને એથે ક્રમ સત્તર (૧) ભૃગેવાળે છે. અર્થાત કેસરી આદિ પ્રાસાદની શૃંગસંખ્યાને ક્રમની સંજ્ઞા આપી છે. શાસ્ત્રકાર જેટલા ક્રમ- ઓછા-વધતા ચઢાવવાનું જણાવે છે ત્યાં શિપીવર્ગ નીચેની પંક્તિમાં એક જ જાતના કમ ચડાવે છે ત્યારે શાસ્ત્રાનુસાર ઉપરની પંક્તિમાં એક જ જાતના કેમ ચઢાવાય છે. જેમકે સમદલ પ્રસાદ છે, તેના ખૂણા ઉપર ચાર ક્રમ, પઢરા ઉપર ત્રણ ક્રમ અને ઉપર ઉપર બે ક્રમ ચઢાવવા જોઈએ. આ ઠેકાણે શિલ્પીઓ નીચેની પંક્તિમાં ચોથું ૧૭ શ્રેગવાળું ક્રમ બધા અંગેની ઉપર ચઢાવે છે. તેની ઉપર, બીજી પંક્તિમાં ત્રીજું ક્રમ, ત્રીજી પંક્તિમાં બીજું ક્રમ અને ચોથી પંકિતમાં પહેલું ક્રમ ચઢાવે છે. આ નિયમ અશાસ્ત્રીય છે અને પ્રાચીન દેવાલયોમાં પણ આ પ્રમાણે જોવામાં આવતું નથી. શાસ્ત્રીય નિયમ એ છે કે-જે અંગ ઉપર જેટલા ક્રમ ચઢાવવાના હોય તે બધાં અંગોમાં પ્રથમ ક્રમથી જ ચઢાવે. એટલે નીચેની પંક્તિમાં જે અંગ ઉપર ચાર ક્રમ ચઢાવવાના હોય ત્યાં ચોથું કમ, ત્રણ ક્રમ ચઢાવવાના હોય ત્યાં ત્રીજું ક્રમ અને એ ક્રમ ચઢાવવાનાં હોય તે અંગ ઉપર બીજું ક્રમ ચઢાવવું. જીએ * અપરાજિતપૃચ્છા ના વિમાને પુષ્પકદિ પ્રાસાદે. આ શાસ્ત્રીય નિયમ પ્રમાણે શિપીએાએ કામ કરવું જોઈએ. જો કે “શિપરત્નાકર” અને “દીપાર્ણવ માં આ જિનપ્રાસાદે છપાયેલ છે, તેમાં તેમના હિસાબે શિખરની કંગસંખ્યા બરાબર મળતી આવતી નથી, જેથી જણાય છે કે તેમણે તે બાબત વિચાર કરેલો નહીં હોય. મોતીસિંહ ભોમીયાનો રસ્તો, જયપુરસીટી (રાજસ્થાન) સં. ૨૦૧૭ અક્ષયતૃતીયા. ભગવાનદાસ જૈન
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy