SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ प्रासादमण्डने ઉદયના ચોસઠ ભાગ કરીને તેનાં પંચાવનમાં ભાગમાં દષ્ટિ રાખવી. અથવા આઠ ભાગવાળા સાતમા ભાગના વૃષ, સિંહ અને ધવજ આયમાં પણ દષ્ટિ રાખવી શુભ છે. પ વિશેષ દેવોનું દરિસ્થાન– षष्ठभागस्य पञ्चांशे लक्ष्मीनारायणादिदृक् । - રાયનારિરિ તાTધ જ તમે હા દ્વારનાં આઠ ભાગમાં જે છઠ્ઠો ભાગ છે, તેનાં આઠ ભાગ કરીને પાંચમાં ભાગમાં લક્ષમીનારાયણની દષ્ટિ રાખવી. શયનાસનવાળા દેવ અને શિવલિંગ, તેની દષ્ટિ દ્વારના અર્ધભાગમાં રાખવી, પણ દ્વારનાં અર્ધનું ઉલ્લંઘન કરી દષ્ટિ રાખવી નહિ. છે ૬ દેવેનું પદ સ્થાન पट्टाधो यक्षभूतायाः पट्टाग्रे सर्वदेवताः । तदने वैष्णवं ब्रह्मा मध्ये लिङ्ग शिवस्य च ॥७॥ इति प्रतिमाप्रमाणदृष्टिपदस्थापनम् । ગભારાનાં સ્તભ ઉપર જે પાટ રાખવામાં આવે છે, તેની નીચે યક્ષ, ભૂત અને નાગ આદિ દેવની પ્રતિમાઓ સ્થાપના કરવી. પાટની આગળના ભાગમાં સર્વ દેવીઓને સ્થાપન કરવી, તેની આગળના ભાગમાં વૈષ્ણવ અને બ્રહ્માને સ્થાપન કરવાં. અને ગભારાનાં મધ્ય ભાગે (બ્રહ્મ ભાગે) શિવલિંગને સ્થાપન કરવું. ૭ વઘુસાર પરણનાં મતે પદસ્થાન– "गब्भमिहड्ढपणंसा जक्खा पढमंसि देवया बीए । जिणकिण्हखी तइए बंभु चउत्थे सिवं पणगे॥" प्रचारण ३ ગભારાના સમાન બે ભાગ કરીને, તેમાં વાલ તરફના ભાગના પાંચ ભાગ કરવા, દિવાલથી પ્રથમ ભાગમાં યક્ષને, બીજા ભાગમાં દેવીએને, ત્રીજા ભાગમાં જિનદેવ, કૃષ્ણ અને સૂર્યને, ચોથા ભાગમાં બ્રહ્માને અને પાંચમાં ભાગમાં (ગભારાના મધ્ય ભાગમાં) શિવલિંગને સ્થાપવાં, (આ મત પ્રાયઃ અધિક પ્રચલિત છે), સમરાંગણ સુત્રધારનાં મતે પદ સ્થાન– " भक्ते प्रासादगर्भार्धे दशधा पृष्ठभागतः । पिशाचरक्षोदनुजाः स्थाप्या गन्धर्वगुह्यकाः ।। आदित्यचण्डिकाविष्णु-ब्रह्मेशानाः पदक्रमात् ॥"
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy