SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જ્ઞાનપ્રારા રીવાય વાઘ તાલ અને ગીત સાથેનું નૃત્ય કહ્યું છે. વર્તમાન કાળમાં મૂક નૃત્યના પ્રાગૈા કરે છે પરંતુ તેમાં રસ ઉત્પન્ન થતેા નથી. શાસ્ત્રકારાએ નૃત્યના અંગભંગથી થતા ભેદ્દા કહ્યા છે. પદ્મતાલથી, કટીથી, વક્ષથી, ગ્રીવાથી, મડ઼ેથી, કરતલથી, મુખથી, નાસિકાથી અને દ્રષ્ટિથી થતા ભાવ અને ભ્રમર રેખાથી થતા ભાવે આ રીતે અંગભંગથી થતા નૃત્યકળાના વિવિધ ભાવ કહ્યા છે. अङ्गभङ्गे मुखे कुर्याद्वस्तौ दृष्टिं च नर्तने । हस्तकाद्यं भवेल्लोके कर्मणोऽभिनयेऽखिलम् ॥ १ ॥ નૃત્ય કાળે જે મુખ હાથ અને દ્રષ્ટિનું હલન ચલન—શરીર ભગ થાય છે એ જ સમગ્ર અભિનયનું કર્મ છે. तोहस्तस्ततो द्रष्टि तो द्रष्टिस्ततो मनः । यतो मनस्ततो भावो यतो भावस्ततो रसः ॥ २ ॥ જેમ હાથ જે વિષયનું સૂચન કરે છે તેજ વિષયનું દ્રષ્ટિ સૂચન કરે છે, જેમ ષ્ટિ કરે તેવુ તેનુ મન અને જેવુ' મન તેવા ભાવ અને જેવા ભાવ તેવા રસ ઉત્પન્ન થાય છે. आस्येनाssलम्बयेद गीत हस्तेनार्थ प्रकल्पयेत् । चक्षुभ्याँ च भवेद् भावः पादाभ्यां तालनिर्णयः ॥ ३ ॥ -મુખવર્ડ કરીને ગીતના આલાપને નિર્ણય થાય છે. હાથથી અર્થ (ભાવ)ની કલ્પના થાય છે. દ્રષ્ટિથી ભાવની કલ્પના થાય છે અને પગથી તાલના નિય થાય છે. . ધોડશાભરણ · અપરાજિત સૂત્ર સંતાન' અધ્યાય ૨૬ માં ખેાડશાભરણુ આપેલાં છે. તે દેવા તથા ચક્રવર્તી રાજા આદિને માટે કહ્યાં છે. દ્રવિડ ગ્રંથામાં આભરણુ વિશે બહુ સવિસ્તર નોંધ આપેલી છે. વિા ગ્રંથાની એ વિશેષતા છે. અપરાજિતમાં આપેલાં આભરણેામાં હાર, પદક, શ્રીવત્સ, કૌસ્તુભ (માળા), પગાભરણુ, મુકુટ, (ત્રણ પ્રકારના શેખર, કિરીટ, આમલસાર), કઠ, બાહુબલ, (ખાજુબંધ), કુંડલ, નવગ્રડું કોંકણ, રામચંદ્ર ખડગ, અંગુલિકા (યુગ્માંલિક અંગુષ્ટીક અધાતુતિકા), ટીકા ત્રિપુરૂષ, વધારા, કુંડલ અને પાદમુદ્રિકા એ રીતે સાળ આભુષણા કહ્યાં છે. દ્રવિડ ગ્રંથામાં પણ સાળ પ્રકારના આભરણા કહ્યાં છે.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy