SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ कूर्मशिलाधिकार अ. १२ ज्ञानप्रकाश दीपार्णव ૧૭૫ એક હાથના પ્રાસાદને ચાર આંગળની શિલા કરવી. બે હાથનીને છ આંગળ, ત્રણ હાથનાને નવ આંગળ, અને ચાર હાથના પ્રાસાદને બાર આગળની સમચોરસ શિલા કરવી. આમ ચાર હાથ સુધીના પ્રાસાદની શિલા ત્રીજા ભાગે જાડી કરવી. પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદને પિણાપણું આગળની વૃદ્ધિ પ્રત્યેક હાથે કરતાં જવી. ૪૫-૬ सूर्यहस्तादितः कृत्वा यावच्च जिनहस्तकम् । अ‘गुला भवेद्धि-रुच्छ्ये तु नवाझुला ॥७॥ चतुर्विंशादितः कृत्वा यावत् षट्त्रिंशद्धस्तकम् । तथा पादाङ्गुला वृद्धिः पिंड च द्वादशाङ्गुलम् ॥ ८ ॥ षट्त्रिंशादितः कृत्वा यावत्पंचाशद्धस्तकम् । । 'अष्टमांशाङ्गुलावृद्धिः पिंड च द्वादशाङ्गुलम् ॥ ९॥ બારથી વીશ હાથના પ્રાસાદને અર્ધા અર્ધા આંગળની વૃદ્ધિ કરવી. અને ચોવીશ ગજના પ્રાસાદની શીલા નવ આંગળ જાડી રાખવી. પચ્ચીશથી છત્રીશ ગજના પ્રાસાદને પા પા આંગળની વૃદ્ધિ કરવી. અને છત્રીશ ગજના પ્રાસાદની શિલા બાર આંગળ જાડી રાખવી. સાડત્રીસથી પચાસ ગજના પ્રાસાદને પ્રત્યેક ૧ શિલામાનનું ક્ષીરાવમાં જે પ્રમાણ આપેલું છે તેજ આ ગ્રંથને મળતું છે. પચાસ ગજના પ્રાસાદને ૨૮ અગિળનું શિલામાન થાય છે. પરંતુ અપરાજિત સૂત્ર ૧૫૭માં આપેલું માન ઘણું મોટું છે. જ્ઞાનરકાશ ગ્રંથમાં આપેલું શિલા પ્રમાણ ક્ષીરાણું અને દીપાવ બંને ગ્રંથોના મતનું સમર્થન કરે છે. વાનરત્નકેશમાં વિશેષતા છે–એટલું યાદ રાખવાની જરૂર છે. આ પહેલું શિલામાન સમરસ જાણવું. આ મધ્યની કુમચિયાનું માને કહ્યું છે. પરંતુ અશિલા કે ચાર શિલાનું માન પ્રમાણ કેટલું રાખવું તેનો કોઈ ગ્રંથમાં ઉલ્લેખ નથી. દીપાવમાં પાંચ શિલા અને વાવ શિલા એમ બે પ્રકારે શિલા સ્થાપન કહે છે. અપરાજિત અને ક્ષીરાણુંવમાં માત્ર નવ શિલાનું કહે છે. પ્રાસાદમંડન અને વાસ્તુરાજમાં ફક્ત સેના રૂપાના એક ફર્મનું જ કમાણ આપેલું છે. વિશ્વકર્મા પ્રકાશ અને જ્ઞાનરત્નકેચમાં પાંચ શિવા અને નવ શિક્ષા એમ બંને મતો આપેલા છે. મની મશિલાનું માને કહ્યું. પરંતુ પય કે અષ્ટશિલાના ચાન પ્રમાણુ ગ્નિ૫મંથમાં આપેલાં નથી. પરંતુ શિપિઓની પરંપરા શેલી એવી છે કે મથિલાના જેટલી અશિલા લાંબી અને તેનાથી અધ પહેળી અને મિશિલા જેટલી નડી રાખવાની પ્રથા છે. કેઈ કૂર્મશિલા જેટલી સમચોરસ માપની અષ્ટશિલા કરે છે. પણ તેમાં એસાર નીચે બાવાની કદીક ભૂલ થવાનો ભય રહે. અષ્ટશિલાઓ પ્રાસાદના મૂળ એસારની બરાબર વચ્ચે દિશાવિદિશામાં દબાવી જોઈએ. મખની કુર્મશિલા અને ચાર દિશાઓની શિલાઓ એસાઈમાં પધરાવવી. અને વિદિશાની ચાર શિલાએ ત્રાંસી ૪૫ ડીથીએ સ્થાપન કરવી.
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy