SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૧ ] આ કાર્ય અમારાથી યત્નસાધ્ય નથી, આ તો કોઈ અશુભકર્મની ચાલ છે. હવે એવો શુભ દિવસ કયારે આવે કે એનો પ્રીતમ એને કૃપાદષ્ટિથી દેખે, મિષ્ટવચન બોલે અને એને પાસે લઇને બેસે! –એવી સૌને અભિલાષા છે. આવી દશામાં, વારંવાર શ્રી દેવ-ગુરુને યાદ કરતીકરતી અંજની ઝૂરી-ઝૂરીને દિવસો વીતાવે છે...તેની પ્રિય સખી વસંતમાલા હરકોઇ પ્રકારે તેના ચિત્તને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે છે, કોઈવાર અંતરના અનુભવની ને સમ્યગ્દર્શનની સૂક્ષ્મ ચર્ચા કરે છે, તો કોઈ વાર દેવ-ગુરુની ભક્તિ કરે છે, ને કોઇ વાર સંતોનું સ્મરણ કરીને તેમની વૈરાગ્ય ભરેલી કથાઓ કરે છે...અને એટલો વખત અંજનીની વેદના હળવી થઇ જાય છે. -આમ સખી સહિત અંજનીના દિવસો વીતી રહ્યા છે. * ૨૨ વર્ષ બાદ... જે વખતની આ કથા ચાલે છે તે વખતે અનેક રાજાઓ ઉપર મહારાજા રાવણની આજ્ઞા ચાલતી હતી. પરંતુ વરુણ રાજાએ રાવણની આજ્ઞા ન માની અને કહ્યું કે રાવણને દેવાધિષ્ઠિત રત્નો (-શસ્ત્રો વગેરે) નો ગર્વ છે, પણ હું તેને ગર્વરહિત કરી નાંખીશ. આ વાત સાંભળીને કોપિત થઇને રાવણે પ્રતિજ્ઞા કરી કે હું તેને દેવાધિષ્ઠિત રત્નો વગર જ જીતી લઇશ. અને તેને જીતવા માટે અનેક રાજાઓને પોતાની મદદે બોલાવ્યા. પવનકુમારના પિતા Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008404
Book TitleBe Sakhi
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year1962
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size634 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy