SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૨૬-૨૭ ] [ ૪૩૫ [સત્ મુળ ઇચ્છાવન અસત્ ઉદ્ભાવને ૪] તેમજ પ્રગટ ગુણોને ઢાંકવા અને ન હોય તેવા ગુણોને જાહેર કરવા તે [ીધૈ: ોત્રસ્ય] નીચગોત્રકર્મના આસ્રવનાં કારણો છે. ટીકા એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બધા તિર્યંચો, નારકીઓ તથા લબ્ધિઅપર્યાસક મનુષ્યો તે બધાને નીચ ગોત્ર છે, દેવોને ઉચ્ચ ગોત્ર છે, ગર્ભજ મનુષ્યોને બન્ને પ્રકારનાં ગોત્રકર્મો હોય છે. ।। ૨૫।। ઉચ્ચ ગોત્રકર્મના આસવનું કા૨ણ तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेकौ चोत्तरस्य ।। २६ ।। અર્થ:- [ તત્ વિપર્યય: ] તે નીચગોત્રના આસવનાં કારણોથી વિપરીત અર્થાત્ પરપ્રશંસા, આત્મનિંદા વગેરે [ ] તેમજ [નીયૈ:વૃત્તિ અનુવ્સે1] નમ્ર વૃત્તિ હોવી તથા મદનો અભાવ-તે [ ઉત્તરT] બીજા ગોત્રકર્મના એટલે કે ઉચ્ચ ગોત્રકર્મના આસવનાં કારણો છે. ટીકા અહીં નમ્રવૃત્તિ હોવી અને મદનો અભાવ હોવો તે અશુભભાવનો અભાવ સમજવો; તેમાં જે શુભભાવ છે તે ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવનું કારણ છે. ‘ અનુત્યેક ’નો અર્થ અભિમાન ન હોવું એમ થાય છે. ।। ૨૬।। અહીં સુધી સાત કર્મના આસવનાં કારણોનું વર્ણન કર્યું. હવે છેલ્લા અંતરાયકર્મના આસવનું કારણ જણાવીને આ અધ્યાય પૂરો કરે છે. અંતરાયકર્મના આસવનું કારણ विध्नकरणमन्तरायस्य।। २७।। અર્થ:- [ વિઘ્નરણમ્ ] દાન, લાભ, ભોગ, ઉપભોગ તથા વીર્યમાં વિધ્ર કરવું તે [ અંતરાયસ્ય] અંતરાયકર્મના આસ્રવનું કારણ છે. ટીકા આ અધ્યાયના ૧૦ થી ૨૭ સુધીના સૂત્રોમાં કર્મના આસવનું જે ક્થન કર્યું છે તે અનુભાગસંબંધી નિયમ બતાવે છે. જેમ કે, કોઈ પુરુષના દાન દેવાના ભાવમાં કોઈએ અંતરાય કર્યો તો, તે સમયે તેને જે કર્મોનો આસવ થયો તે જો કે સાતે કર્મોમાં વહેંચાઈ ગયો તોપણ, તે વખતે દાનાંતરાયકર્મમાં પ્રચૂર (ઘણો ) અનુભાગ પડયો અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy