SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૬ સૂત્ર ૨૪ ] [ ૪૨૯ તીર્થંકર નામકર્મના આશ્રવનાં કારણો दर्शनविशुद्धविनयसम्पन्नता शीलव्रतेष्वनतीचारोऽभीक्ष्मज्ञानोपयोगसंवेगौशक्तितस्त्यागतपसी साधुसमाधिर्वैयावृत्यकरणमर्हदाचार्य बहुश्रुतप्रवचनभक्तिणवश्यकापरिहाणिर्मार्गप्रभावना प्रवचनवत्सलत्वमितिती-थकरत्वस्य।। २४ ।। અર્થ:- [વર્શનવિશુદ્ધિ ] ૧-દર્શનવિશુદ્ધિ, [ વિનયસમ્પન્નતા] ૨વિનયસમ્પન્નતા, [શીતવ્રતેવુ બનતો વારો] ૩–શીલ અને વ્રતોમાં અનતિચાર, [મજ્ઞાનોપયો 1:] ૪-નિરંતર જ્ઞાનોપયોગ, [સંવેT:] પ-સંવેગ અર્થાત્ સંસારથી ભયભીત હોવું, [શતિ : ત્યાં તપસી] ૬-૭-શક્તિ અનુસાર ત્યાગ તથા તપ કરવો, [ સાધુસમાધિ: ] ૮-સાધુ-સમાધિ, [ વૈયાવૃત્યRM{] ૯-વૈયાવૃત્ય કરવી, [ ગર્હત્ નીવાર્ય વૈદુશ્રુત પ્રવાન મ]િ ૧૦-૧૩-અર્વત-આચાર્ય-બહુશ્રુત (ઉપાધ્યાય) અને પ્રવચન પ્રત્યે ભક્તિ, [ીવશ્યક પરિણાજિ:] ૧૪-આવશ્યકમાં હાનિ ન કરવી, [માઇમાવના:] ૧૫-માર્ગ પ્રભાવના અને [પ્રવનવ77] ૧૬-પ્રવચન-વાત્સલ્ય [તિ તીર્થરત્વચ] એ સોળ ભાવના તીર્થકર નામકર્મના આસ્રવનાં કારણો છે. ટીકા ૧. આ બધી ભાવનાઓમાં દર્શનવિશુદ્ધિ મુખ્ય છે, તેથી પ્રથમ જ તે જણાવેલ છે; તેના અભાવમાં બીજી બધી ભાવના હોય તોપણ તીર્થંકરનામકર્મનો આસ્રવ થતો નથી, અને તેના સદ્દભાવમાં બીજી ભાવનાઓ હોય કે ન હોય તોપણ તીર્થંકરનામકર્મનો આસ્રવ થાય છે. ૨. અહીં જણાવેલી સોળ ભાવના સંબંધમાં વિશેષ કહેવામાં આવે છે (૧) દર્શનવિશુદ્ધિ દર્શનવિશુદ્ધિ એટલે સમ્યગ્દર્શનની વિશુદ્ધિ. સમ્યગ્દર્શન પોતે આત્માનો શુદ્ધ પર્યાય હોવાથી તે બંધનું કારણ નથી, પણ સમ્યગ્દર્શનની ભૂમિકામાં એક ખાસ પ્રકારની કષાયની વિશુદ્ધિ થાય છે તે તીર્થંકર નામકર્મના બંધનું કારણ થાય છે. દષ્ટાંતઃવચનકર્મને (અર્થાત્ વચનરૂપી કાર્યને ) યોગ કહેવાય છે. પરંતુ “વચન યોગ ”નો અર્થ “વચન દ્વારા થતું આત્મકર્મ તે યોગ” એવો થાય છે, કેમ કે જડ વચન કોઈ બંધનું કારણ નથી. આત્મામાં જે આસ્રવ થાય છે તે આત્માની ચંચળતાથી થાય છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy