SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates અ. ૫ સૂત્ર ૧૯-૨૦ ] [ ૩૨૯ ઉત્ત૨:- સ્થૂળ પદાર્થોને અરસપરસ વ્યાઘાત થાય એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે; તેથી આકાશના ગુણને કાંઈ દૂષણ આવતું નથી. ।। ૧૮।। પુદ્ગલદ્રવ્યનો જીવ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् ।। १९ ।। અર્થ:- [ શરીર ] ઔદારિક આદિ શરીર, [ વાળ્] વચન, [ મન:] મન તથા [પ્રાબાપાના: ] શ્વાસોચ્છ્વાસ એ પુદ્દગલદ્રવ્યનો ઉપકાર છે અર્થાત્ શરીરાદિની રચના પુદ્ગલથી જ થાય છે. (૧) ઉપકાર શબ્દનો અર્થ ભલું કરવું એવો ન લેવો પણ કોઈ કાર્યમાં નિમિત્ત હોય એટલો લેવો. (જુઓ, સૂત્ર ૧૭ ની ટીકા ) (૨) શરીરમાં કાર્યણશ૨ી૨નો સમાસ થાય છે. વચન તથા મન પુદ્દગલો છે, એ પાંચમા સૂત્રની ટીકામાં બતાવવામાં આવ્યું છે. પ્રાણાપાન પુદ્દગલ છે. (૩) આ સૂત્રમાં જણાવેલ શરીરાદિનું ઉપાદાનકારણ પુદ્ગલદ્રવ્ય છે અને નિમિત્તકા૨ણ જીવ છે. હવેના સૂત્રમાં જીવ ઉપાદાનકારણ અને પુદ્ગલ નિમિત્તકા૨ણ એ પ્રકાર લેવામાં આવશે. (૪) ભાવમન લબ્ધિરૂપ તથા ઉપયોગરૂપ છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવની અવસ્થા છે. તે ભાવમન પૌદ્ગલિકમન તરફ જ્યારે વલણ કરે ત્યારે કાર્ય કરે છે તેથી નિશ્ચય (૫૨માર્થ, શુદ્ધ) નયે તે જીવનું સ્વરૂપ નથી; નિશ્ચયનયે તે પૌદ્ગલિક છે. (૫) ભાવવચન પણ જીવની અવસ્થા છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવની છે. તેના કાર્યમાં પુદ્ગલનું નિમિત્ત હોય છે તેથી નિશ્ચયનયે જીવની તે અવસ્થા નથી. તે નિશ્ચયનયે જીવનું સ્વરૂપ નથી તેથી પૌદ્ગલિક છે. જો તે જીવનો ત્રિકાળી સ્વભાવ હોય તો ટળે નહિ, પણ તે ભાવવચનરૂપ અવસ્થા જીવમાંથી ટળી શકે છે-એ અપેક્ષા લક્ષમાં રાખી તેને પૌદ્ગલિક ગણવામાં આવે છે. (૬) ભાવમન સંબંધી અધ્યાય ૨, સૂત્ર ૧૧ ની ટીકા વાંચવી. ત્યાં જીવની વિશુદ્ધિને ભાવમન કહ્યું છે. તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયે કહ્યું છે એમ સમજવું. ।। ૧૯।। જીવનો પુદ્ગલ સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ सुखदुःखजीवितमरणोपग्रहाश्च।। २० ।। અર્થ:- [ સુવ:જુવ] ઇન્દ્રિયજન્ય સુખ-દુ:ખ, [નીવિતમરળ] જીવન, મરણ [ ઉપપ્રજ્ઞા: 7] એ પણ પુદ્ગલનો ઉપકાર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy