SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ ] [ મોક્ષશાસ્ત્ર નોટ- એકેન્દ્રિય, વિકલત્રય, દેવ તથા નારકી–તેઓ કોઈ પણ પ્રકારના શુભભાવે દેવમાં ઊપજતા નથી. દેવમાં ઊપજે એવા પ્રકારના શુભભાવ તેમને હોતા જ નથી. (૬) દેવમાંથી ચ્યવીને કેવો પર્યાય ધારણ કરે તેની વિગત ક્યાંથી વે? કેવો પર્યાય થાય ? ૧. ભવનત્રિક દેવ અને સૌધર્મ- એકેન્દ્રિય બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય; ઐશાનથી અકાય, પ્રત્યેકવનસ્પતિ, મનુષ્ય તથા પંચેન્દ્રિયતિર્યંચમાં ઊપજે (વીકલત્રય ન થાય) ૨. સનકુમારાદિકથી સ્થાવર ન થાય; ૩. બારમા સ્વર્ગ પર્યતથી પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય થાય. ૪. આનત-પ્રાણતાદિકથી (બારમા નિયમથી મનુષ્યમાં જ ઊપજે, તિર્યંચમાં | સ્વર્ગ પછીથી ) નહિ. ૫. સૌધર્મથી શરૂ કરીને નવ રૈવેયક ત્રેસઠ શલાકા પુરુષપણે પણ ઊપજી શકે. પર્વતના દેવોમાંથી કોઈ ૬. અનુદિશ અને અનુત્તરથી આવેલ તીર્થકર, ચક્રવર્તી, બળભદ્ર તરીકે ઊપજે પણ અર્ધચક્રી ન થાય. ૭. ભવનત્રિકથી ત્રેસઠ શલાકાપુરુષપણે ન ઊપજે. ૮. દેવપર્યાયથી (સમુચ્ચય) સર્વ સૂક્ષ્મમાં, તૈજસાયમાં, વાત કયમાં ન ઊપજે, તેમ જ વિકલત્રયમાં, અસંજ્ઞીમાં કે લબ્ધિઅપર્યાપ્તમાં ન ઊપજે અને ભોગભૂમિમાં, દેવમાં તથા નારકીમાં પણ ન ઉપજે. (૭) આ સૂત્રના સિદ્ધાંતો ૧. મિથ્યાષ્ટિપણે જીવ ઉત્કૃષ્ટ શુભભાવ કરે ત્યારે નવમી રૈવેયક સુધી જાય છે, પણ તે શુભભાવ સમ્યગ્દર્શનનું કે ધર્મનું કારણ નથી તેથી મિથ્યાત્વને લીધે અનંત સંસારમાં રખડે, માટે શુભભાવને ધર્મનું કારણ માનવું નહિ. ૨. મિથ્યાષ્ટિને ઉત્કૃષ્ટ શુભભાવ થાય છે ત્યારે તેને ગૃહીતમિથ્યાત્વ છૂટી ગયું હોય છે એટલે કે દેવ-ગુરુ-શાસ્ત્રની રાગમિશ્રિત જ્ઞાનવાળી વ્યવહારશ્રદ્ધા સાચી હોય છે, તે વિના ઉત્કૃષ્ટ શુભભાવ થાય જ નહિ. મિથ્યાદષ્ટિપણે નવમી રૈવેયક જનાર જીવે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy