SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૦ ] [ મોક્ષશાસ્ત્ર નોંધ:- સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રધારી જીવનો કેવો ઉગ્ર પુરુષાર્થ હોય છે તે અહીં બતાવ્યું છે. તપઋદ્ધિના પાંચમા અને છઠ્ઠી ભેદોમાં અનેક પ્રકારના રોગવાળું શરીર કહ્યું છે તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે શરીર પરવસ્તુ છે, તે ગમે તેવું ખરાબ હોય તોપણ આત્માને સત્ય પુરુષાર્થ કરવામાં તે બાધક થતું નથી. શરીર સારું હોય અને બહારની સગવડતા હોય તો ધર્મ થઈ શકે એ માન્યતા ખોટી છે એમ સિદ્ધ થાય છે. (૮) પાંચમી બળઋદ્ધિનું સ્વરૂપ બળઋદ્ધિના ત્રણ પ્રકાર છે-૧. મનોબળઋદ્ધિ, ૨. વચનબળઋદ્ધિ અને ૩. કાયબળઋદ્ધિ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે પ્રકર્ષ પુરુષાર્થથી મનઃશ્રુતજ્ઞાનાવરણ અને વીર્યંતરાયનો ક્ષયોપશમ થતાં અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ શ્રત અર્થના ચિંતવનનું સામર્થ્ય તે મનોબળઋદ્ધિ-૧. અતિશય પુરુષાર્થથી મન-ઇંદ્રિયકૃતાવરણ તથા જિલ્ફાશ્રુતજ્ઞાનાવરણ અને વીર્યંતરાયનો ક્ષયોપશમ થતાં અંતર્મુહૂર્તમાં સકળશ્રુતનું ઉચ્ચારણ કરવાનું સામર્થ્ય હોવું તથા નિરંતર ઉચ્ચસ્વરથી બોલતાં ખેદ ઊપજે નહિ, કંઠ કે સ્વરભંગ થાય નહી તે વચનબળઋદ્ધિ-૨. વીર્યાતરાયના ક્ષયોપશમથી અસાધારણ કાયબળ પ્રગટે અને એક માસ, ચાર માસ કે બાર માસ પ્રતિમાયોગ ધારણ કરતાં ખેદરૂપ ન થાય તે કાયબળઋદ્ધિ –૩. (૯) છઠ્ઠી ઔષધઋદ્ધિનું સ્વરૂપ ઓષધ ઋદ્ધિ આઠ પ્રકારની છે:- ૧. આમર્ષ, ૨. ક્ષેલ, ૩. જળ, ૪. મળ, પ. વિટ, ૬. સર્વ, ૭. આસ્યાવિષ અને ૮. દષ્ટિવિષ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. - અસાધ્ય રોગ હોય તોપણ જેના હાથ-ચરણાદિનો સ્પર્શ થતાં જ સર્વ રોગ જાય તે આમર્ષઔષધઋદ્ધિ-૧. જેનાં ઘૂંક, લાળ, કફાદિનો સ્પર્શ થતાં જ રોગ મટી જાય તે ક્ષેલ ઔષધઋદ્ધિ-૨. જેના દેહના પરસેવાનો સ્પર્શ થતાં જ રોગ મટી જાય તે જળઔષધઋદ્ધિ છે-૩. જેનાં કાન, દાંત નાક અને નેત્રનો મળ જ સર્વરોગનું નિરાકરણ કરવામાં સમર્થ હોય તે મળઔષધિઋદ્ધિ-૪. જેનો વીટ-ઝાડો તથા મૂત્ર જ ઔષધરૂપ હોય તે વીટઔષધઋદ્ધિ-૫. જેના અંગ-ઉપાંગ, નખ, દાંત, કેશાદિકનો સ્પર્શ થતાં જ સમસ્ત રોગને હરે તે સર્વોષધઋદ્ધિ-૬, તીવ્ર ઝરમાં મળેલો આહાર પણ જેના મુખમાં જતાં ઝેર રહિત થઈ જાય તથા વિષથી વ્યાસ જીવનું ઝેર જેના વચનથી જ ઉતરી જાય તે આવિષઔષધઋદ્ધિ. ૭-જેને દેખવાથી મહાન વિષધારી જીવનું વિષ જતું રહે તથા કોઈને ઝેર ચડયું હોય તો તે ઉતરી જાય-એવી ઋદ્ધિ તે દષ્ટિવિષઋદ્ધિ છે- ૮. આ પ્રમાણે આઠ પ્રકારની ઓષધઋદ્ધિ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy