SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ ] [ મોક્ષશાસ્ત્ર કહેલી “ઉન્મત્તદશા” ટળે છે અર્થાત્ જીવની મિથ્યાજ્ઞાનદશા ટળીને તે સમ્યક્રમતિશ્રુતજ્ઞાનરૂપ થઈ જાય છે, અને જો તે જીવને પૂર્વે મિથ્યા અવધિજ્ઞાન હોય તો તે પણ ટળી જઈને સમ્યઅવધિજ્ઞાનરૂપ થઈ જાય છે, આ ઔપશમિકભાવ તે “સંવર' છે. સમ્યગ્દર્શનનું માહાત્મય બતાવવા માટે આચાર્ય ભગવાને આ શાસ્ત્રની શરૂઆત કરતાં જ પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં પહેલો જ શબ્દ “સમ્યગ્દર્શન” વાપર્યો છે, અને પ્રથમ સમ્યગ્દર્શન ઔપશમિક ભાવે જ થતું હોવાથી ઔપથમિકભાવનું માહાભ્ય બતાવવા માટે અહીં પણ આ બીજો અધ્યાય શરૂ કરતાં તે ભાવ પહેલા સૂત્રમાં પહેલા જ શબ્દમાં બતાવ્યો છે. (૬) પાંચ ભાવો સંબંધી કેટલુંક સ્પષ્ટીકરણ ૧. પ્રશ્ન- દરેક જીવમાં પારિણામિકભાવ અનાદિનો છે, છતાં તેને ઔપથમિકભાવ અર્થાત્ સમ્યગ્દર્શન કેમ પ્રગટયું નથી? ઉત્તરઃ- જીવને અનાદિથી પોતાના સ્વરૂપનું ભાન નથી અને તેથી પોતે પારિણામિકભાવસ્વરૂપ છે એમ તે જાણતો નથી, અને “શરીર મારું અને શરીરને અનુકૂળ જણાતી પરવસ્તુઓ મને લાભકારી છે. તથા શરીરને પ્રતિકૂળ જણાતી પરવસ્તુઓ મને નુકસાનકારી છે' એમ અજ્ઞાનદશામાં માન્યા કરે છે તેથી તેનું વલણ પરવસ્તુઓ, શરીર અને વિકારીભાવો તરફ રહ્યા જ કરે છે; અહીં, જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિકભાવનું જ્ઞાન કરાવીને, પોતાના ગુણ-પર્યાયરૂપ ભેદોને અને પર વસ્તુઓને ગૌણ કરીને આચાર્યભગવાન તે ઉપરનું લક્ષ છોડાવે છે; ભેદષ્ટિમાં નિર્વિકલ્પદશા થતી નથી માટે અભેદદષ્ટિ કરાવી છે કે જેથી નિર્વિકલ્પદશા પ્રગટે, ઔપથમિકભાવ પણ એક પ્રકારની નિર્વિકલ્પદશા છે. ૨. પ્રશ્ન- આ સૂત્રમાં કહેલા પાંચ ભાવોમાંથી ક્યાં ભાવ તરફના વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય? ઉત્તર- પારિણામિકભાવ સિવાયના ચારે ભાવો ક્ષણિક છે, એક સમય પૂરતા છે, વળી તેમાં પણ ક્ષાયિકભાવ તો વર્તમાન છે નહિ, ઔપશમિકભાવ પણ હોય તો થોડો વખત ટકે છે, અને ઔદયિક-ક્ષાયોપથમિકભાવો પણ સમયે સમયે પલટે છે માટે તે ભાવો ઉપર લક્ષ કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહિ અને ધર્મ પ્રગટે નહિ. ત્રિકાળ સ્વભાવી પારિણામિકભાવનું માહાભ્ય જાણીને તે તરફ જીવ પોતાનું વલણ કરે તો ધર્મની શરૂઆત થાય છે અને તે ભાવની એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય છે. ૩. પ્રશ્ન:- પંચાસ્તિકાયમાં કહ્યું છે કે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy