SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭ર ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય ટીકા:- “દિ ઘર્મ: વેવતાભ્ય: પ્રમવતિ'– નિશ્ચયથી ધર્મ ઊપજે છે તે દેવોથી ઊપજે છે, ‘રૂદ તામ્ય: સર્વ પ્રવેયન'– આ લોકમાં તે દેવોના નિમિત્તે બધું આપવું જોઈએ. જીવોને પણ મારીને તેમને ચડાવો. ‘તિ કુર્વિવેન્નિતાં વિષMાં પ્રાપ્ય દિન: ન હિંચ:'એવી અવિવેકવાળી બુદ્ધિથી પ્રાણીને મારવા નહિ. ભાવાર્થ- દેવ, દેવી, ક્ષેત્રપાળ, કાલી, મહાકાલી, ચંડી, ચામુંડા ઈત્યાદિને અર્થે હિંસા ન કરવી. પરજીવને મારવાથી પોતાનું ભલું કેવી રીતે થાય? બિલકુલ ન થાય. ૮૦. पूज्यनिमित्तं घाते छागादीनां न कोऽपि दोषोऽस्ति। इति संप्रधार्य कार्यं नातिथये सत्त्वसंज्ञपनम्।। ८१।। અન્વયાર્થઃ- [પૂળ્યનિમિત્ત ] “પૂજવા યોગ્ય પુરુષોને માટે [ છાવીનાં ] બકરા વગેરે જીવોનો [ વાતે] ઘાત કરવામાં [ 5: ]િ કોઈ પણ [ કોષ:] દોષ [નાસ્તિ] નથી” [ તિ] એમ [ સંપ્રથાર્ય ] વિચારીને [ગતિથયે] અતિથિ અથવા શિષ્ટ પુરુષોને માટે [ સર્વસંજ્ઞપન”] જીવોનો ઘાત [ન વછાર્યમ્] કરવો ન જોઈએ. ટીકા:- પૂજ્યનિમિત્તે છાતીનાં ધાતે જોબપિ કોષ: ન શસ્તિ'- પોતાના ગુરુ માટે બકરાદિ જીવોના ઘાતમાં કાંઈ દોષ નથી, ‘તિ સમૃધાર્ય તિથલે સર્વસંજ્ઞપન ન »ાર્ય'એમ વિચારીને અતિથિ (ફકીરાદિ ગુરુ) માટે જીવોનો ઘાત ન કરવો. ભાવાર્થ:- પાપી, વિષયલંપટી અને જીભના લાલચુ એવા પોતાને અને બીજા જીવોને નરકમાં લઈ જવાને તૈયાર થનાર એવા કુગુરુના નિમિત્તે પણ હિંસા કરવી યોગ્ય નથી. હિંસાથી તેનો અને પોતાનો મોક્ષ કેવી રીતે થશે? મતલબ કે થતો નથી. ૮૧. बहुसत्त्वघातजनितादशनाद्वरमेकसत्त्वघातोत्थम्। इत्याकलय्य कार्यं न महासत्त्वस्य हिंसनं जातु।। ८२।। અન્વયાર્થઃ- [વદુર્ઘઘાતનનિતાત્] “ઘણા પ્રાણીઓના ઘાતથી ઉત્પન્ન થયેલ [ ગણનાત્] ભોજન કરતાં [ સંર્વધાતોત્થન] એક જીવના ઘાતથી ઉત્પન્ન થયેલું ભોજન [વરમ્] સારું છે” [તિ] એમ [ નીવચ્ચ] વિચારીને [ નીતુ] કદીપણ [મહીસર્વસ્ય] મોટા ત્રસ જીવનો [ હિંસાં ] ઘાત [ ન છાર્ય ] કરવો ન જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy