SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૫ પુરુષાર્થસિદ્ધિઉપાય ] પોતાના પરિણામ ભ્રષ્ટ થાય તો પોતે યુક્તિ વડે ધર્મમાં સ્થિર થવું, અન્ય જીવ ભ્રષ્ટ થાય તો તેને જેમ બને તેમ ધર્મમાં દઢ કરવો. ૨૮. ૭. ‘વાત્સલ્ય અંગ अनवरतमहिंसायां शिवसुखलक्ष्मीनिबन्धने धर्मे । सर्वेष्वपि च सधर्मिषु परमं वात्सल्यमालम्ब्यम् ।। २९ ।। અન્વયાર્થ:- [શિવસુવલક્ષ્મી નિવધને] મોક્ષસુખરૂપ સંપદાના કારણભૂત [ધર્મે] ધર્મમાં [અહિંસાયાં] અહિંસામાં [૬] અને [ સર્વેષ્વપિ] બધાય [ સધાર્મિg] સાધર્મીજનોમાં [અનવરત] સતત [ પરમં] ઉત્કૃષ્ટ [ વાત્સi] વાત્સલ્ય અથવા પ્રીતિનું [ઞાનન્ધ્યક્] આલંબન કરવું જોઈએ. ટીકા:- મોક્ષસુખની સંપદાના કારણભૂત એવો જે હિંસારહિત જિનપ્રણીત ધર્મ તેમાં અને તે ધર્મસહિત એવા બધાય ધર્મીઓમાં ઉત્કૃષ્ટ વાત્સલ્ય નિરંતર રાખવું. ભાવાર્થ:- વાત્સલ્ય ગાયને વાછરડા પ્રત્યે હોય તેવી પ્રીતિને કહે છે. જેમ વાછરડા પ્રત્યેના પ્રેમને લીધે ગાય સિંહની સામે જાય છે-એવા વિચારથી કે મારું ભક્ષણ કરીને આ વાછરડાનું ભલું થઈ જાય તો ઘણું સારું. એવી પ્રીતિ ધર્મમાં અને ધર્માત્મા સાધર્મીમાં જોઈએ. જે તન, મન, ધન, –સર્વસ્વ ખરચીને પોતાની પ્રીતિ પાળે. ૨૯. ૮ પ્રભાવના અંગ आत्मा प्रभावनीयो रत्नत्रयतेजसा सततमेव । दान तपोजिनपूजाविद्यातिशयैश्च जिनधर्मः ।। ३० ।। અન્વયાર્થ:- [ સતતમેવ] નિરંત[ રત્નત્રયતેનસા] રત્નત્રયના તેજથી [માત્મા] પોતાના આત્માને [ પ્રભાવનીય: ] પ્રભાવનાયુક્ત કરવો જોઈએ. [7] અને [ વાનતોબિનપૂનાવિદ્યાતિશયૈ: ] દાન, તપ, જિનપૂજન અને વિદ્યાના અતિશયથી અર્થાત્ એની વૃદ્ધિ કરીને [નિનધર્મ: ] જૈનધર્મની [ પ્રભાવનીય: ] પ્રભાવના કરવી જોઈએ. ૧. વાત્સલ્ય=પોતાના સમૂહના ધર્માત્મા જીવોનો સાચા ભાવથી કપટ રહિત, યથાયોગ્ય સત્કાર કરવો તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy