SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] | [ ૧૭૯ અન્વયાર્થ- [નિત્યપિ] હંમેશાં [નિરુપનેપ:] કર્મરૂપી રનના લેપ રહિત [સ્વરુપસમવરિશ્વત:] પોતાના અનંતદર્શન-જ્ઞાન સ્વરૂપમાં સારી રીતે ઠરેલો [નિરુપઘાત:] ઉપઘાત રહિત અને [ વિશવંત:] અત્યંત નિર્મળ [૫રમપુરુષ:] પરમાત્મા [ નમ્ રૂ] આકાશની જેમ [પરમપદે] લોકશિખરસ્થિત મોક્ષસ્થાનમાં [ રતિ] પ્રકાશમાન થાય છે. ટીકાઃ- નિત્યમ્ પિ નિરુપન્સેપ: સ્વરુપર્સમવરિત: નિરુપઘાત: વિશવતમ: પરમપુરુષ: નમ ફુવ પરમપદ્દે રતિઃ' અર્થ:-સદાકાળ કર્મમળ રહિત, પોતાના સ્વરૂપમાં સ્થિત, કોઈના પણ ઘાતરહિત, અત્યંત નિર્મળ એવા જે પરમાત્મા સિદ્ધ ભગવાન છે તે મોક્ષમાં આકાશ સમાન દૈદીપ્યમાન રહે છે. ભાવાર્થ:- પુરુષ નામ જીવનું છે અને પરમ પુરુષ નામ પરમાત્મા સિદ્ધ ભગવાનનું છે. જીવ તો નર-નારકાદિ ચારે ગતિઓમાં પોતાના આયુષ્ય પ્રમાણે થોડા કાળ સુધી જ રહે છે અને સિદ્ધભગવાન મોક્ષમાં સદા અનંતકાળ સુધી રહે છે. સંસારી જીવ કર્મરૂપી મેલથી મલિન છે, સિદ્ધ ભગવાન કર્મમળથી રહિત છે. સંસારી જીવ પુણ્ય-પાપરૂપી લેપથી લિસ છે, સિદ્ધ ભગવાન આકાશ સમાન નિર્લેપ છે. સંસારી જીવ વિભાવ પરિણતિના યોગથી સદા દેહાદિરૂપે થઈ રહ્યો છે, સિદ્ધ ભગવાન સદા નિજસ્વરૂપમાં જ વિરાજમાન રહે છે. સંસારના જીવ બીજા જીવોનો ઘાત કરે છે અને બીજાઓ દ્વારા હુણાય છે પણ સિદ્ધ ભગવાન કોઈ જીવને હણતા નથી કે કોઈ જીવો વડે હણાતા નથી. આવા સિદ્ધ ભગવાન અખંડ, અવિનાશી, નિર્મળ, પોતાના સ્વરૂપમાં સ્થિત સદાકાળ મોક્ષમાં જ બિરાજમાન રહે છે. રર૩. પરમાત્માનું સ્વરૂપ कृतकृत्यः परमपदे परमात्मा सकलविषयविषयात्मा। परमानन्दनिमग्नो ज्ञानमयो नन्दति सदैव ।। २२४ ।। અવયાર્થઃ- [વૃતવૃત્વ:] કૃતકૃત્ય [સવનવિષયવિષયાત્મા] સમસ્ત પદાર્થો જેમના વિષય છે એવા અર્થાત્ સર્વ પદાર્થોના જ્ઞાતા [પરમાનન્દનિમનઃ] વિષયાનન્દથી રહિત જ્ઞાનાનંદમાં અતિશય મગ્ન [ જ્ઞાનમય:] જ્ઞાનમય જ્યોતિરૂપ [પરમાત્મા] મુક્તાત્મા [પરમપદે ] સૌથી ઉપર મોક્ષપદમાં [સવ ] નિરંતર જ [નજ્વતિ] આનંદરૂપે સ્થિત છે. ટીકા:- ‘પરમાત્મા કૃતકૃત્ય: સત્નવિષયવિષયાત્મ (વિરતાત્મા ) વા ઘરમાનન્દ્ર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy