SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય | [ ૯૧ ટીકાઃ- “વું પરિગ્રહસ્ય અતિવ્યાHિ: ચાત્ તિ વેત્ ન પર્વ ભવેત્ યાત્ કષાયાાં ર્મગ્ર મૂર્છા નારિસ્ત'– અર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે કે જો પરિગ્રહને મૂર્છા ઉત્પન્ન કરવાનું નિશ્ચય કારણ કહેશો તો (મૂચ્છ પરિપ્રદ:) એ લક્ષણમાં અતિવ્યાતિ દોષ આવશે, કેમકે અહત અવસ્થામાં પણ કાર્મણવર્ગણા તથા નોકર્મવર્ગણા-એ બન્નેના ગ્રહણરૂપ પરિગ્રહ છે ત્યાં પણ મૂર્છા થઈ જશે. તો તેમ નથી, કારણ કે કષાયરહિત જીવોને કર્મ-નોકર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂચ્છ અર્થાત્ મમત્વપરિણામ નથી. ભાવાર્થ- અતિવ્યાતિ તો ત્યારે થાય જો નિષ્પરિગ્રહી વીતરાગી મહાપુરુષોને મૂર્છા હોય. તે તો તેમને હોતી નથી, માટે વીતરાગી અર્હત ભગવાનને કર્મ-નોકર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્છા વિના પરિગ્રહ નામ પામતું નથી. તેથી અતિવ્યામિ દોષ નથી. બાહ્યવસ્તુ મૂર્છા ઉપજાવવાનું કારણ માત્ર છે તેથી તેને ઉપચારથી પરિગ્રહ કહી દીધેલ છે. વાસ્તવમાં પરિગ્રહનું લક્ષણ મૂર્છા જ છે. ૧૧૪. પરિગ્રહના ભેદ अतिसंक्षेपाद द्विविध: स भवेदाभ्यन्तरश्च बाह्यश्च। प्रथमश्चतुर्दशविधो भवति द्विविधो द्वितीयस्तु।। ११५ ।। અવયાર્થઃ- [ :] તે પરિગ્રહ [ તિરસંક્ષેપ ] અત્યંત સંક્ષિપ્તપણે [ભ્યન્તર:] અંતરંગ [૨] અને [વી:] બહિરંગ [ દ્વિવિધ:] બે પ્રકારે [ મ ] છે [૨] અને [પ્રથમ:] પહેલો અંતરંગ પરિગ્રહ [ વતુર્વવિધ:] ચૌદ પ્રકારનો [1] તથા [ દ્વિતીય:] બીજો બહિરંગ પરિગ્રહ [ દ્વિવિધ:] બે પ્રકારનો [ મવતિ] છે. ટીકાઃ- “સ (પરિપ્રદ:) અતિ સંક્ષેપાસ્ બ્રિવિધ: ગામ્યન્તર: વાઘશ્વ પ્રથમ: (નાચત્તર:) વતુર્વશવિધ: મવતિ દ્વિતીયસ્તુ બ્રિવિધ: મવતિ'– અર્થ:- તે પરિગ્રહ સંક્ષેપમાં બે પ્રકારનો છે. પહેલો આત્યંતર, બીજો બાહ્ય. અંતરંગ આત્માના પરિણામને આત્યંતર પરિગ્રહ કહે છે અને બહારના બધા પદાર્થોને બાહ્ય પરિગ્રહ કહે છે. પહેલો પરિગ્રહ ચૌદ પ્રકારનો છે, બીજો બાહ્ય પરિગ્રહ બે પ્રકારનો છે. ૧૧૫. આત્યંતર પરિગ્રહના ચૌદ ભેદ मिथ्यात्ववेदरागास्तथैव हास्यादयश्च षड् दोषा। चत्वारश्च कषायाश्चतुर्दशाभ्यन्तरा ग्रन्थाः।। ११६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy