SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક–૧૬૧ ४८७ टकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाज: सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चित्तं निर्जरैव ।।१६१।। કળશ છે. [ ટોળું-સ્વર-નિતિ-જ્ઞાન-સર્વસ્વ-માનઃ સચ: ‘ટૂંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન....” એટલે શાશ્વત. ટંકોત્કીર્ણ એટલે શાશ્વત. નિજ રસથી ભરપૂર....” એવો જે આત્મા એટલે જ્ઞાન. આહાહા.! શાશ્વત એવો નિજ સ્વભાવના ભાવથી ભરપૂર આત્મા તેના સર્વસ્વને...” સર્વસ્વ, સર્વ-સ્વ, તેના પૂર્ણ સ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને...” આહાહા.! ધર્મીને તો જ્ઞાનસ્વભાવનો ભોગવટો હોય છે, કહે છે. આહાહા.! ‘ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર...” એટલે જ્ઞાનથી, દર્શનથી, આનંદ આદિ રસથી ભરપૂર એવું જ્ઞાન એટલે આત્મા. તેના સર્વસ્વને...” પૂર્ણ પોતાને, એવા પૂર્ણ પોતાને ભોગવનાર... આહાહા...! વળી એક કોર એમ કહે કે, દ્રવ્યનો–ધ્રુવનો ભોગવટો હોય નહિ. અલિંગગ્રહણના વીસમા બોલમાં ઈ આવી ગયું. આત્મા દ્રવ્યને નહિ સ્પર્શતો વેદનની પર્યાયમાત્ર આત્મા છે. કારણ કે વેદનમાં ધ્રુવ આવતું નથી. ધ્રુવને અસ્પર્શતો વેદનમાત્ર આત્મા છે. અહીં કહે છે, “ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને...” ઇ પર્યાયની વાત છે. ત્રિકાળી છે તેને અનુભવે છે ઈ પર્યાયમાં તેનો ભોગવટો છે. પર્યાયનો ભોગવટો (છે), દ્રવ્યનો ભોગવટો નથી. અરે.! શું કહે છે? નિજ રસથી ભરેલો ભગવાન આત્મા, જ્ઞાન એટલે આત્મા, તેના સર્વસ્વને ભોગવનાર...” આહાહા.. તેના સર્વસ્વ એટલે સારી પૂર્ણ ચીજ છે તેમાં એકાગ્રતા છે એટલે પર્યાયમાં સર્વસ્વને ભોગવે છે. ભોગવે છે. પર્યાય પણ ધ્રુવનું લક્ષ છે અને એનાથી જે પર્યાય થઈ તે સર્વસ્વને ભોગવે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્યને ભોગવે છે એમ કહે છે. નિજ રસથી ભરેલો ભગવાનઆત્મા, આનંદનું દળ આખું ધ્રુવ, એ સર્વસ્વ. સર્વ–પોતાનું તેને ભોગવે છે. એનો અર્થ છે કે રાગને ભોગવતો નથી પણ પોતાનું દ્રવ્ય ત્રિકાળ છે તેને અવલંબે નિર્મળ દશા થઈ તેને ભોગવે છે. અરે.. અરે..! આવી વાતું છે, બાપુ! થોડા ફેરે બહુ ફેર પડી જાય, ભાઈ! આ તો તત્ત્વ, વીતરાગના તત્ત્વ છે, ભાઈ! આહાહા.! એક કોર “અમૃતચંદ્રાચાર્ય એમ કહે અને આ પણ ‘અમૃતચંદ્રાચાર્યનો કળશ છે. ન્યાં ‘અમૃતચંદ્રાચાર્ય એમ કહે, આત્મા ત્રિકાળી પ્રત્યક્ષ. આહાહા! આ છે તે છે, તેમ. એવો આત્મા ધ્રુવ, તેને આત્મા નહિ સ્પર્શતો, નહિ અડતો પોતાની પર્યાય જે વેદવામાં આવે છે તે આત્મા છે. આહાહા...! અહીં ઈ કહેવું છે. એ તો સર્વસ્વને ભોગવે છે). રાગને અને પરને નથી ભોગવતો એથી આત્માને સર્વસ્વને ભોગવે છે એમ કહેવું છે. આહાહા...! આવી વાતું આકરી બહુ, ભાઈ! વીતરાગના શાસ્ત્રો અમૂલ રતનથી ભર્યા છે. આહાહા.! સમ્યગ્દષ્ટિને, ખરેખર તો પૂર્ણ ભોગવે પણ ક્યાં છે? પૂર્ણ ભોગવે તો તો સિદ્ધ થઈ
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy