SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૫૯ ૪૭૩ અરેરે! એને સાંભળવાનું મળે નહિ એ વિચારમાં ક્યારે (ત્યે? વિચારભૂમિકામાં–જ્ઞાનની ભૂમિકામાં જ્યારે ત્યે અને આમ ગુંલાટ ખાય? આહા...! પર્યાયને ગુલાંટ ખાઈને દ્રવ્યમાં જોડી ધે. જોડી ફ્લે, હોં! એકમેક ન થાય. પર્યાયને આમ જોડી એટલું. જોડીનો અર્થ તે તરફ લક્ષ ગયું. પણ પર્યાયમાં કંઈ દ્રવ્ય આવતું નથી તેમ પર્યાય દ્રવ્યરૂપ થતી નથી. આહાહા...! અરે.રે.! આવું પોતાને કરવાનું છે ઈ મૂકીને બધું કર્યું. આહાહા.! ઓલું દસલક્ષણી પર્વનું આવ્યું ને? ભાઈ! ભાઈનું-હુકમચંદજી'નું આવ્યું છે? દસલક્ષણીનું પુસ્તક આવ્યું છે? ક્યાંથી આવ્યું? ભેટ? હિન્દીમાં આવ્યું હશે. વાંચ્યું છે? બહુ સરસ વાત, બહુ ક્ષયોપશમ માળાનો. એવી વાત કરી, એવી વાત કરી છે. ગજબ. ૪૪ વર્ષ, પણ એનો ક્ષયોપશમ એ વાંચે, એને ખ્યાલ આવે ત્યારે ખબર પડે કે એવી વિવિધતા ને વિચિત્રતાથી વાત એક એક ગુણની કરે છે. છતાં પછી છેલ્લે લખે છે કે, હું હવે વિરમું છું. એમ છેલ્લે શબ્દ છે. એ બધું એક એકનું કહી પછી લખે છે), હવે હું આમાં વિરમું છું. આહાહા...! એ.ઈ. વાંચ્યું છે કે નહિ? નથી વાંચ્યું? વાંચવા જેવું છે. “રામજીભાઈને કહ્યું કે, વાંચવા જેવું છે. વાંચે તો ખબર પડે અંદર. હૈ? મુમુક્ષુ :- આજે વાંચ્યું સવારે. ઉત્તર :- વાંચવા જેવું છે. એક એક ક્ષમા, એક એક નિર્માતા, આર્જવ, શૌચ... આહાહા...! ભારે માળાનો ક્ષયોપશમ. એવી વિધિએ વાત કરી છે કે, એને આત્માને લાગે કે, વાહ. વાહ! વસ્તુની સ્થિતિનું સ્પષ્ટીકરણ! અહીં પરમાત્મા, આ તો મુનિરાજ કહે છે, આહાહા.! [જ્ઞાનિનઃ તમી ત:] જેણે આત્મા પૂર્ણાનંદનો નાથ શાશ્વત સ્વયમેવ છે, એની હયાતીનો જેણે સ્વીકાર કર્યો છે એવો જે ધર્મી, સમકિતી ને જ્ઞાની ચાહે તો ચોથાવાળો હો, ચોથાવાળો સમકિતી હો. આહાહા...! [જ્ઞાનિનઃ તમીઃ ત] તેથી આવું જાણીને “મરણનો ભય કયાંથી હોય?” આવું જાણતા હું તો શાશ્વત સ્વયમેવ પરમાત્મ સ્વરૂપ, એમાં ઊણપ ને ધાત ને ઓછપ ને વિપરીતતા કંઈ છે જ નહિ. ઓછપ પરિણતિ કરે તો ઘાત (થાય). આ તો વસ્તુ છે એમાં તો ઓછા છે જ નહિ. સમજાય છે કાંઈ? ભગવાન જ્ઞાનસ્વરૂપ છે, એ થોડા વિષયમાં રોકાય છે એ જ એનો પ્રતિબદ્ધ છે. કર્મનું પ્રતિબદ્ધ નથી. શું કહ્યું? પંચાસ્તિકાયમાં છે, પંચાસ્તિકાય' છેલ્લે. ભગવાન આત્મા સર્વને જાણનાર, દેખનાર સામર્થ્ય એવું હોવા છતાં તે અલ્પ વિષયમાં જે રોકાય છે એ જ એને પ્રતિબદ્ધ છે. લાલચંદભાઈ! આહાહા...! “પંચાસ્તિકાય. ગજબ વાતું છે, સંતોની દિગંબર મુનિઓની તો ક્યાંય જોડ ન મળે. પણ એનેય ખબર નથી. આ બધા તમે શેઠિયા ત્યાંને ત્યાં પડ્યા હતા ને? “કાંતિભાઈ! પણ સાહસ કર્યું અત્યારે આ ફેરી મૂકીને. આહાહા...! આવું જાણતા થકા.. આહાહા.! મરણ નામ અભાવ. ભાવવાળું મારું તત્ત્વ તેમાં અભાવ
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy