SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૫૯ ૪૬૯ જ્ઞાન જોઈએ. શ્રદ્ધા સ્વરૂપ ત્રિકાળ છે તેની શ્રદ્ધા જોઈએ. આહા.! ત્રિકાળ આનંદ છે તેને આનંદની દશા પર્યાયમાં જોઈએ. વીર્ય ત્રિકાળ છે તેની પર્યાયમાં વીર્ય શુદ્ધ સ્વરૂપની રચના કરે તેવું વીર્ય પર્યાયમાં હોવું જોઈએ. આહાહા.! કહો, “શશીભાઈ! “નવરંગભાઈ ! આ નવ રંગ ચડે છે. આહાહા..! એ આત્મા તો જ્ઞાનપ્રાણ છે. સ્વયમેવ. બે શબ્દ છે છે. સ્વયંએવ. એ જ્ઞાન ને આનંદ પ્રાણ તો સહજ, સ્વયમેવ સ્વયં જ છે. એને રાખું તો રહે એમ નથી), એ તો સ્વયં પ્રાણ છે જ. સહજરૂપે છે. આહાહા...! એક વાત. “શાશ્વતતયા” એ મારો જ્ઞાન ને આનંદ પ્રાણ તો શાશ્વત છે. આહાહા...! સ્વયમેવ છે, સ્વયં જ છે. છે સ્વયં જ શું? શાશ્વત છે. સમજાણું કાંઈ? “ગાવિત “ખાતુવિ એટલે કોઈ કાળે પણ નથી તેમ નથી, એમ. ‘નાતુનો શબ્દાર્થ એ છે. સમજાણું કાંઈ? “કદાપિ’ શબ્દ પડ્યો છે ને એમાં? કદાપિ એ નાતુનો અર્થ છે. કોઈ કાળ બતાવે છે, “ના, એ કાળ બતાવે છે. શું કીધું સમજાણું કાંઈ? સ્વયમેવ શાશ્વતતયા' કાળ. એટલે ત્રિકાળ છે. આહાહા.! “સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ.” કદાપિ એ “નાવિત’નો અર્થ છે. કોઈ કાળ, એનો અર્થ છે. “નીતુતિ નો અર્થ કાળ છે. કોઈ કાળે પણ “ન છિદ્યતે” આહાહા...! કોઈ કાળે પણ તેનો નાશ થતો નથી. આહાહા.! શું ટીકા! “અમૃતચંદ્રાચાર્યની શૈલી અલૌકિક, ગજબ વાત છે. ટૂંકામાં ઘણું ભરી ધે છે. આહાહા...! એક તો “નાવિ” ત્રિકાળ. મારો નાથ આનંદ અને જ્ઞાન સ્વભાવના પ્રાણથી ભરેલો, એ સ્વયં છે, શાશ્વત છે, કોઈ કાળે તે નાશ થાય એવો નથી. આહાહા...! સમજાય છે કાંઈ? “ છિદ્યતે' એમ આવ્યું ને છેલ્લું? ત’ તે પ્રાણ “સ્વયમેવ શાશ્વતતયા કાળે, કોઈ કાળે ન નાશ થાય. આહાહા...! “તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત તેનો કદાપિ નાશ થતો નથી.” [ અત: તસ્ય પર વિશ્વન ન મવેત્ ] આહાહા! પ્રભુના પ્રાણ જે શાશ્વત છે, કોઈ કાળે તેનો નાશ નથી. આહાહા...! તે “ર ગ્વિન ન મ તે પ્રાણમાં કંઈ પણ હીણપ થાય કે નાશ થાય, એવું છે. નહિ. આહાહા.! “તઃ માટે, ‘તઃ એટલે તેથી. માટે (અર્થ) કર્યો. ‘તઃ તે માટે...” શે માટે? કે સ્વયમેવ શાશ્વત કોઈ કાળે નાશ ન થાય તે માટે, તે કારણે તે પર વિરુગ્વન ન' તેનો અભાવ, મરણ કિંચિત્ પણ થતો નથી. આહાહા.! કહો, “ચંદુભાઈ! હાથવેંતમાં છે, આવ્યું હતું ને? તમારા લખાણમાં આવ્યું હતું. કાગળમાં આવ્યું હતું, ખબર છે? અહીં તો કોઈ શબ્દ ક્યાંક આવ્યો હોય છે મૂળ મગજમાં રહ્યા કરે. આહાહા...! ભગવાન આમ હાથવેંતમાં છે. પૂર્ણાનંદનો નાથ જેના પ્રાણનો કોઈ કાળે નાશ ન થાય તે માટે “તસ્ય માં ગ્વિન જરી પણ તેના અંશનો નાશ થાય એમ નથી. આહાહા.! “તશ્ય ભર વિશ્વન ના ભાઈ! આહાહા.! દેહના પ્રાણ નાશ થાય તો થાઓ, એ તો નાશવાન હતા તે નાશ થાય
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy