SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે આ અર્થને દાંતથી દઢ કરે છે : યમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪. ત્યમ જીવપુરુષ પણ કમરજનું સુખઅરથ સેવન કરે, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫. વળી તે જ નર જયમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં, ૨૨૬. સુદૃષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭. ગાથાર્થ :- [ યથા ] જેમ [ 3 ] આ જગતમાં [ વ: પિ પુરુષ: ] કોઈ પુરુષ [ વૃત્તિનિમિત્ત તુ ] આજીવિકા અર્થે [ રાખીનમ્ ] રાજાને [ સેવત ] સેવે છે [ તત્ ] તો [ સા રાની પ ] તે રાજા પણ તેને [ જુવોત્પાદ– ] સુખ ઉત્પન્ન કરનારા | વિવિધાન ] અનેક પ્રકારના [ મો ન ] ભોગો [ વાતિ ] આપે છે, [ Pવમ્ 4] તેવી જ રીતે [ નીવપુરુષ: ] જીવપુરુષ [ સુરનિમિત્તમ્ ] સુખ અર્થે [ વર્મરનઃ ] કર્મરજને [ સેવત ] સેવે છે [ તદ્ ] તો [ તત્ ર્મ પ ] તે કર્મ પણ તેને [ જુવોત્પાદવાન ] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિઘાનું ] અનેક પ્રકારના [ મો I ] ભોગો [ હવાતિ ] આપે છે. [ પુન: ] વળી [ યથા ] જેમ [ સઃ 4 પુરુષ: ] તે જ પુરુષ [ વૃત્તિનિમિત્ત] આજીવિકા અર્થે [ રાખીનમ્ ] રાજાને [ ન સેવત ] નથી સેવતો [ તત્] તો [ : રાની બપિ ] તે રાજા પણ તેને [ સુરવોત્પાછા ] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિધાન ] અનેક પ્રકારના [ મો ન ] ભોગો [ ન રાતિ ] નથી આપતો, [ wવમ્ વ ] તેવી જ રીતે [ સાવૃષ્ટિઃ ] સમ્યગ્દષ્ટિ [ વિષયાર્થ ] વિષય અર્થે [ વર્ષનઃ ] કર્મરજને [ ન સેવતે] નથી સેવતો | તદ્] તો (અર્થાત્ તેથી) [ તત્ ર્મ ] તે કર્મ પણ તેને [ સુવોત્પાદન ] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિધાન ] અનેક પ્રકારના [ મો II ] ભોગો [ ન હવાતિ ] નથી આપતું. ટીકા :- જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું. એમ તાત્પર્ય (અર્થાતુ કહેવાનો આશય છે. ભાવાર્થ - અહીં એક આશય તો આ પ્રમાણે છે :- અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy