SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કલશામૃત ભાગ-૬ તેનાથી મને લાભ થાય છે, એમ માને છે તો જીવદ્રવ્યને અશુદ્ધ અનુભવે છે. તે કા૨ણે તેને અનંત સંસારનું બંધન થાય છે. અને ધર્મી જીવદ્રવ્યને શુદ્ધ ચિન્માત્ર અનુભવે છે. રાગ થાય છે પરંતુ તેને ભિન્ન રાખીને પોતાના શુદ્ધ જ્ઞાનમાત્ર આત્માને જાણે છે. આહાહા..! કહો, સમજાણું કાંઈ? સમસ્ત અપરાધથી રહિત છે; તેથી કર્મનો બંધક થતો નથી.' આહાહા..! આ કારણે સમ્યગ્દષ્ટિને કર્મનું બંધન થતું નથી. આહાહા..! આ અપરાધની અપેક્ષાએ, હોં! શુભ-અશુભ ભાવકર્મ, શુભ-અશુભ ભાવ એ ભાવકર્મ છે, જડકર્મ (એટલે) ૨જકણ, શરીર, વાણી, મન એ નોકર્મ. ત્રણેને પોતાના શુદ્ધ જીવદ્રવ્યમાં પોતાના માનતો નથી તે કા૨ણે તે નિ૨૫૨ાધી છે અને અજ્ઞાની પોતાના જીવદ્રવ્યમાં પુણ્ય-પાપ કર્મ, શરીર, વાણી, મન પોતાના છે એમ માને છે માટે તે અપરાધી છે. એ અપરાધથી અનંત સંસારનું બંધન છે. જ્ઞાનીને અનંત સંસારનું બંધન નથી. થોડો રાગ, અસ્થિરતા રહી છે તેટલું બંધન છે. એમ બેયનો ખુલાસો કર્યો છે. લ્યો, અડધો કલાક થઈ ગયો. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं आत्मन्येवालानितं चापलमुन्मूलितमालंबनम् । च વિત્ત માસંપૂર્ણવિજ્ઞાનઘનોપાો: ।।૧-૧૮૮।। ખંડાન્વય સહિત અર્થ :- ‘અત: પ્રમાવિન: તા:' (અત: પ્રમારિનઃ) શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ, તેઓ (હતાઃ) મોક્ષમાર્ગના અધિકારી નથી; એવા મિથ્યાદૃષ્ટિ જીવોનો ધિક્કા૨ કર્યો છે. કેવા છે ? ‘સુવાસીનતાં તાઃ’ કર્મના ઉદયે પ્રાપ્ત જે ભોગસામગ્રી, તેમાં સુખની વાંછા કરે છે. ‘ચાપલમ્ પ્રભીનં’ (વાવતમ્) રાગાદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુળતા (પ્રતીનં) તે પણ હેય કરી. ‘જ્ઞાનમ્નનમ્ ઇમ્યૂનિતમ્” (નવનમ્) બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકાં જેટલું ભણવું, વિચારવું, ચિતવવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે તે (ઉન્મૂતિતમ્) મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે. ‘આત્મનિ વૅ વિત્તમ્ આલાનિતં (આત્મનિ વ) શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થઈને (વિત્તમ્ આતાનિત) મનને બાંધ્યું છે. આવું કાર્ય જે રીતે થયું તે રીત કહે છે-આસમ્પૂર્ણવિજ્ઞાનધનોપનધે:' (આસમ્પૂર્ણવિજ્ઞાન) નિાવરણ કેવળજ્ઞાનનો (ઘન) સમૂહ જે આત્મદ્રવ્ય, તેની (ઉપનÈ:) પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી. ૯–૧૮૮.
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy