SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ- ૨૦૭ ૨૫૯ શ્રદ્ધાએ એમ માન્યું. મુમુક્ષુ :- શ્રદ્ધાનો વિષય તો એકાંત ધ્રુવ છે. ઉત્તર – વિષય ભલે ધ્રુવ હો પણ શ્રદ્ધાનું ભાન થયું તેની સાથે જ્ઞાન પણ થયું કે નહિ? શ્રદ્ધામાં તો સ્વ-પર ભેદ છે જ ક્યાં? પણ સાથે જ્ઞાન થયું એ જ્ઞાન એમ જાણે છે કે, આ વસ્તુને મેં જે જાણી એમાં અંદર આનંદમાં હું જેટલો લીન થઈશ તે ચારિત્ર છે. તેનાથી મારા કર્મનો નાશ થશે. હું સમજાય છે કાંઈ? તો એ માટે આ શબ્દ વાપર્યો છે–પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી. આમ જ જાણજો.” આમ જ જાણજો. એકાંત (કર્યું. “અન્યથા નહીં. બીજી રીતે છે નહિ. વિશેષ કહેશે.) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) (અનુષ્ટ્રપ) वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्। अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।।१५-२०७। ખંડાન્વય સહિત અર્થ – ક્ષણિકવાદીને પ્રતિબોધવામાં આવે છે-“રૂતિ વાન્તઃ મા. વારતુ' (તિ એ રીતે વત્ત:) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના ભેદ કર્યા વિના “સર્વથા આમ જ છે” એમ કહેવું તે (મા વરતુ) ન પ્રકાશો અર્થાત્ કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો. એવું કેવું ? “જન્ય: રોતિ કન્ય: મુંવરુતે' (અન્ય: વરાતિ) અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જે છે, (અન્ય: મુંજને અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે,–એવું એકાન્તપણું મિથ્યાત્વ છે. ભાવાર્થ આમ છે કે-જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેથી દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય આવતાં ભોગવે છે; પર્યાયરૂપે વિચારતાં જે પરિણામ–અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે; તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે–આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે. જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે. તે કર્યું વિપરીતપણું? ‘ત્યન્ત વૃક્વંશમેવતઃ વૃત્તિમન્નાશવત્વના”
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy