SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ- ૨૦૩ ૨૨૯ મહા સુદ ૩, શુક્રવાર તા. ૧૦-૦૨-૧૯૭૮. કળશ-૨૦૩, ૨૦૪ પ્રવચન–૨૨૮ આપણે અહીં સુધી ચાલ્યું છે). વળી આ અર્થને ગાઢો–પાકો કરે છે-' છેલ્લી છસાત લીટી છે, લીટી એટલે પંક્તિ. ૨૦૩ કળશની છેલ્લી પાંચ-છ લીટી છે. “ પચા પ્રકd: વૃતિઃ ન “એકલા પુદ્ગલકર્મનું કરતૂત નથી.” રાગ અને વિકાર પુણ્ય-પાપના થાય છે એ એકલું પુદ્ગલ કરે છે એમ નથી. તેમ બે થઈને કરે છે એમ પણ નથી. એકલો કરે છે એ પહેલા આવી ગયું છે. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે રાગાદિ અશુદ્ધ પરિણામ એકલા પુદ્ગલકર્મના કરેલા છે. કર્મ પુદ્ગલ છે તો વિકાર થાય છે, ઉદય આવે છે તો જીવે વિકાર કરવો જ પડે છે એમ કોઈ માને તો એ મિથ્યાત્વ છે. એવું માને છે) એમ છે નહિ. “ઉત્તર આમ છે કે એમ પણ નથી; એમ છે કે આમ પણ નથી. કર્મથી વિકાર થાય છે એ બિલકુલ ખોટી વાત છે. આહાહા...! “કારણ કે...” “વિર્વતૈનાત “અનુભવ એવો આવે છે કે પુદ્ગલકર્મ અચેતનદ્રવ્ય છે.' એમ. કર્મ છે એ તો જડ અચેતન છે અને વિકાર છે એ તો ચૈતન્યનો ભાવ છે. આહાહા.! “ચંદુભાઈ! અહીં તો એકાંત અજ્ઞાની પણ એમ માને... આવ્યું છે કે પ્રકૃતિમાં ? બધું પ્રકૃતિ કરાવે. જ્ઞાનાવરણીય છે તે જ્ઞાનને ઢાંકે, પરાઘાત છે તે પરને હણે એ બધું પ્રકૃતિમાં આવ્યું છે ને? એટલે કર્મ જ કરાવે. એમ સાંખ્યમતિની જેમ તમારા જેનના માણસો પણ એમ માને તો એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! બધું ઈશ્વર કરાવે, પ્રકૃતિ કરે. એ સાંખ્યમાં તો રજો, તમો અને સત્ત્વ પ્રકૃતિના ગુણ કહે છે. એ પ્રકૃતિના છે, પુરુષ–આત્માના નહિ. એમ જૈનના માણસો પણ ઈ રીતે કોઈ કહે કે, વિકાર તો કર્મનું કાર્ય છે એ ખોટી વાત છે. આહાહા...! “કારણ કે અનુભવ એવો આવે છે કે પુદ્ગલકર્મ અચેતનદ્રવ્ય છે. રાગાદિ પરિણામ અશુદ્ધ ચેતનારૂપ છે.” અજ્ઞાની અજ્ઞાન, રાગ, દ્વેષ કરે છે એ અજ્ઞાની પોતે કરે છે, સ્વયે કરે છે. કર્મ તો નિમિત્તમાત્ર છે. નિમિત્ત કંઈ કરાવતું નથી. આહાહા..! અહીં તો અજ્ઞાનીની વાત ચાલે છે. બિલકુલ કર્થચિત્ અજ્ઞાનપણે કર્તા છે એમ ન માને તેને સમજાવે છે. પછીના શ્લોકમાં આવશે, કથંચિત્ કર્તા અને કથંચિત્ અકર્તા. જ્યાં સુધી અજ્ઞાન, મિથ્યાદૃષ્ટિ છે ત્યાં સુધી રાગ અને વિકારનો કર્તા છે. આહાહા...! સર્વથા અકર્તા, માનનારો
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy