SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કળા-૧૯૯ ૧૬ ૭ આ તો ભગવાનની વાણી, બાપુ મુનિઓની સંતોની. આ કાંઈ કોઈ કથા, વાર્તા નથી. આ તો એક એક શબ્દમાં મહાન ગંભીરતા પડી છે. આહાહા...! એક એક શબ્દમાં અનંત અનંત આગમ રહ્યા છે એવી આ વાણી છે. આ કોઈ કલ્પનાથી બનાવેલી ચીજ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? હવે ૧૯૯. (અનુષ્ટ્રપ) ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः। सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षुताम् ।।७-१९९।। ખંડાન્વય સહિત અર્થ:- “તેષાં મોક્ષ: ન હતેષ એવા મિથ્યાષ્ટિ જીવોને ( મોક્ષ:) કર્મનો વિનાશ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે તે જીવો ? “મુમુક્ષતામ્ િજૈનમતાશ્રિત છે, ઘણું ભણ્યા છે, દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે, મોક્ષના અભિલાષી છે તો પણ તેમને મોક્ષ નથી. કોની જેમ ? “સામાન્યળનવ જેમ તાપસ, યોગી, ભરડા ઈત્યાદિ જીવોને મોક્ષ નથી તેમ. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે, કાંઈક વિશેષ હશે, પરંતુ વિશેષ તો કાંઈ નથી. કેવા છે તે જીવો ? “તુ કે માત્માનું વર્તારમ્ પશ્યતિ() જેથી એમ છે કે (૨) જે કોઈ મિથ્યાદૃષ્ટિ જીવો (માત્માનું) જીવદ્રવ્યને (વર્તારમ્ પશ્યત્તિ) કર્તા માને છે અર્થાતુ તે જ્ઞાનાવરણાદિ કર્મને, રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે, એવો જીવદ્રવ્યનો સ્વભાવ છે એવું માને છે, પ્રતીતિ કરે છે, આસ્વાદે છે. વળી કેવા છે ? “તમરા તતા: મિથ્યાત્વભાવરૂપ અંધકારથી વ્યાપ્ત છે, અંધ થયા છે. ભાવાર્થ આમ છે કે–તેઓ મહામિથ્યાદૃષ્ટિ છે કે જેઓ જીવનો સ્વભાવ કતરૂપ માને છે, કારણ કે કર્તાપણું જીવનો સ્વભાવ નથી, વિભાવરૂપ અશુદ્ધ પરિણતિ છે; તે પણ પરના સંયોગથી છે, વિનાશિક છે. ૭–૧૯૯. (અનુષ્ટ્રપ) ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः। सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षुताम् ।।७-१९९।। તેષાં મોક્ષ: ન ‘એવા મિથ્યાદૃષ્ટિ જીવોને કર્મનો વિનાશ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી.” આહાહા...! જ્યાં મિથ્યાત્વનો નાશ નથી તો તેને સર્વ કર્મનો નાશ થતો જ નથી. એ તો
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy