SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ચિંતા, ભય, વેદના, દુઃખ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક, કોઈ સમર્થ નથી, કર્મનો ઉદય આકાશ, પાતાલ, કે ક્યાંય પણ નથી છોડતો. ઔષધાદિક બાહ્ય નિમિત્ત, અશુભ કર્મનો ઉદય મંદ થતાં ઉપકાર કરે છે. દુષ્ટ, ચોર, ભીલ, વૈરી તથા સિંહ, વાઘ, સર્પાદિક ગામમાં કે વનમાં મારે, જલચરાદિક પાણીમાં મારે; પણ અશુભ કર્મનો ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, ગઢમાં, ઘરમાં, શય્યામાં, કુટુંબમાં, રાજાર્દિક સામંતોની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરતાં છતાં ક્યાંય પણ નથી છોડતો. આ લોકમાં એવાં સ્થાન છે કે જેમાં સૂર્ય, ચંદ્રમાના ઉદ્યોત તથા પવન તથા વૈક્રિયિક રિદ્ધિવાળાં જઈ શકતાં નથી, પરંતુ કર્મનો ઉદય તો સર્વત્ર જાય છે. પ્રબળ કર્મનો ઉદય થતાં, વિદ્યા, મંત્ર, બળ, ઔષધિ, પરાક્રમ, વહાલા મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કોટ, શસ્ત્ર, સામ, દામ, દંડ, ભેદાદિક બધા ઉપાય શરણરૂપ થતા નથી. જેમ ઉદય થતા સૂર્યને કોણ રોકે ? તેમ કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણી સમતાભાવનું શરણ ગ્રહણ કરો, તો અશુભ કર્મની નિર્જરા થાય, અને નવો બંધ ન થાય. રોગ, વિયોગ, દારિદ્રય, મરણાદિકનો ભય છોડી પરમ ધૈર્ય ગ્રહણ કરો. પોતાનો વીતરાગભાવ, સંતોષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પોતે જ શરણરૂપ છે. ક્રોધાદિક ભાવ આ લોક પરલોકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લોકમાં હજારો વિઘ્નની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયીનું દેવલોકમાં તથા ઉત્તમ મનુષ્યજાતિમાં ઊપજવું થાય છે. જો પૂર્વકર્મના ઉદયમાં આર્ત્ત, રૌદ્ર પરિણામ કરશો તો ઉદીરણાને પ્રાપ્ત થયાં, તે રોકવા કોઈ સમર્થ નથી. કેવળ દુર્ગતિનાં કારણ નવાં કર્મ વધારે વધશે. કર્મનો ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તો ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કર્મનો ઉદય ઇંદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કોઈ પણ રોકવા સમર્થ નથી. રોગના ઇલાજ તો ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે. આ જીવને અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઈ પરિણમે છે. અશાતાનો મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. કારણ કે મંદ ઉદયને રોકવાને સમર્થ તો અલ્પ શક્તિવાળા પણ થાય છે. પ્રબળ બળવાળાને અલ્પ શક્તિધારક રોકવાને સમર્થ નથી. આ પંચમકાળમાં અલ્પ માત્ર બાહ્ય દ્રવ્ય, ક્ષેત્રાદિક સામગ્રી છે, અલ્પ માત્ર જ્ઞાનાદિક છે, અલ્પ માત્ર પુરુષાર્થ છે. અને અશુભનો ઉંદય આવવાથી બાહ્ય સામગ્રી પ્રબળ છે, તો તે અલ્પ સામગ્રી અલ્પ પુરુષાર્થથી પ્રબળ અશાતાના ઉદયને કેમ જીતે ? મોટી નદીઓનો પ્રવાહ પ્રબળ મોજાં ઉછાળતો ચાલ્યો આવતો હોય તેમાં તરવાની કળામાં સમર્થ પુરુષ પણ તરી નથી શકતો. નદીના પ્રવાહનો વેગ મંદ થતો જાય ત્યારે તરવાની વિદ્યા જાણનાર તરી પાર ઊતરી જાય છે, તેવી રીતે પ્રબળ કર્મના ઉદયમાં પોતાને અશરણ જાણો. પૃથ્વી અને સમુદ્ર બન્ને મોટાં છે, પરંતુ પૃથ્વીનો છેડો લેવાને અને સમુદ્રને તરવાને ઘણાં સમર્થ જોઈએ છીએ, પરંતુ કર્મ-ઉદયને તરવાને સમર્થ થતાં દેખાતાં નથી. આ સંસારમાં સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર, સમ્યકૃતપ-સંયમ શરણ છે. આ ચાર આરાધના વિના કોઈ શરણ નથી. તથા ઉત્તમ ક્ષમાદિક દશ ધર્મ પ્રત્યક્ષ આ લોકમાં સમસ્ત કલેશ, દુઃખ, મરણ, અપમાન, હાનિથી રક્ષા કરવાવાળાં છે. મંદ કષાયનાં ફલ સ્વાધીન સુખ, આત્મરક્ષા ઉજ્જવળ યશ, કલેશરહિતપણું, ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરો. પરલોકમાં એનું ફળ સ્વર્ગલોક છે. વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે. અર્હત, સિદ્ધ, સાધુ, કેવળજ્ઞાનીનો પ્રકાશેલ ધર્મ એ જ શરણ જાણવું. એ પ્રમાણે અહીં એના શરણ વિના આત્માની ઉજ્જવળતા પ્રાપ્ત નથી થતી એવું દર્શાવનારી અશરણ અનુપ્રેક્ષા વિચારી. ૨
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy