SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કેમકે પ્રથમ સિદ્ધ કોણ ? પ્રથમ જીવપર્યાય કયો ? પ્રથમ પરમાણુપર્યાય કયો ? એ કેવળજ્ઞાનગોચર પણ અનાદિ જ જણાય છે; અર્થાત્ કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સમજાવા યોગ્ય રસ્તો દેખાય છે. કંઈ પણ છે ? શું છે ? શા પ્રકારે છે ? જાણવા યોગ્ય છે ? ܀܀܀܀܀ ૭૧ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૬ ] જાણવાનું ફળ શું છે ? બંધનો હેતુ શો છે ? પુદ્ગલનિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ ? હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૫૭ | જે પ્રકારે માનો તે પ્રકારે બંધ ન ટાળી શકાય એવો સિદ્ધ થાય છે; માટે મોક્ષપદની હાનિ થાય છે. તેનું નાસ્તિત્વ ઠરે છે. કે અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસ્તુતા ? અમૂર્તતા જો વસ્તુતા તો કંઈ મહત્ત્વવાન કે તેમ નહીં ? મુન્ન એવાં પુદ્ગલનો અને અમૂર્ત એવા જીવનો સંયોગ કેમ ઘટે ? । હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૮ | ધર્મ, અધર્મ અને જીવ દ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું જે પ્રકારે જિન કહે છે તે પ્રમાણે માનતાં તે દ્રવ્ય ઉત્પન્નસ્વભાવીવત્ સિદ્ધ થવા જાય છે, કેમકે મધ્યમપરિણામીપણું છે. ધર્મ, અધર્મ અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે, કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યોગ્ય છે ? દ્રવ્ય એટલે શું ? ગુણ પર્યાય વિના તેનું બીજાં શું સ્વરૂપ છે ? [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૯ | કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાયક ઠરે તો સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય, અનંતપણું ન ઠરે, કેમકે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી, અર્થાત્ કેવળજ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય ? તેનો વિચાર બરાબર બંધ બેસતો નથી. ૭૨ જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. દેષ્ટ વસ્તુ પરથી અર્દષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે, | હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૨ | જિનને અભિપ્રાયે આત્મા માનતાં અત્ર લખ્યા છે તે પ્રસંગો પ્રત્યે વધારે વિચાર કરવો- ૧ અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. ૨ સંકોચ, વિકાસ થઈ શકે એવો આત્મા માન્યો છે તે સંકોચ, વિકાસ અરૂપીને વિષે હોવા યોગ્ય છે ? તથા કેવા પ્રકારે હોવા યોગ્ય છે ? ૩ નિગોદ અવસ્થા વિષે વિશેષ કારણ કંઈ છે ?
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy