SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૯૫૯ શ્રી વ્યાખ્યાનસાર-૨ ૧૪ મોરબી, અસાડ સુદ ૪, ૧૯૫૬ સમજવું. ૧ જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે. એકલાં ન હોય, ૨ વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય. ૩ વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ ૪ જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. ૫ છદ્મસ્થ એટલે આવરણયુક્ત. ૬ શૈલેશીકરણ=શૈલ =પર્વત ઈશ-મોટા; એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા, ૩ અકંપ ગુણવાળા મન,વચન, કાયાના યોગની સ્થિરતાવાળા ૮ મોક્ષમાં આત્માના અનુભવનો જ નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? ૯ આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ મટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. *સં. ૧૯૫૬ ના અસાડ-શ્રાવણમાં શ્રીમદ્ની મોરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતોવખત કરેલ ઉપદેશનો સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy